________________
૨૧૮
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન...
પ્રથમા તિથિને અનેાયિકી ન કહેવાય
૧. ઉપરની સર્વ મીનાએ અને બીજા પણ શાસ્ત્રપાઠા આદિ જોતાં, પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ કરવાનું, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય, તદ્દન ખોટું હોવાનું જણાઈ આવે છે. “ વૃો હાર્યા તથોત્તા” એ વચન, પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ કરવાનું જણાવતું જ નથી, પણ પર્વતિથિની વૃદ્ધિએ તે પર્વતિથિના આરાધ્યપણે સ્વીકાર મીજી તિથિએ જ કરવા અને પહેલી તિથિની ઉપેક્ષા કરવી, એટલું જ જણાવનાર છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી હીરપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નના, આ મુદ્દામાં જણાવેલ પાડાનો અર્થ જણાવતાં પશુ, પેાતાના શબ્દો ઉમેરી દીધા છે. તેમાંય પેાતે પહેલી તિથિ એટલે અનૌયિકી’એવા અર્થ કરવા સાથે · અન્ને દિવસે સૂર્યોદય હાય છે' એમ પણ જણાવ્યું છે, એટલે પહેલી તિથિના તેમણે જે ‘ અનૌયિકી ’ અર્થ કર્યાં છે, તે ‘માતા મે વજ્જા ’ખેલનારને જ શેલે તેવા છે. આ. શ્રી સાગરાનન્દ્રસૂરિજીની કબૂલાત
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતે પણ અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ ન થાય, એ વાત શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના ત્રીજા વર્ષના અંક ૨૧ મામાં પૃ. ૫૦૮ ઉપર નીચે મુજબ કબૂલ કરેલી છે— એ ચૌદશા હાય તો પહેલી બીજી ચૌદશને પણ સ્ક્રૂ થાય, એ અમાવાસ્યા હાય તા તેરશ ચૌદશના છઠ્ઠુ થઈ બીજી અમાવાસ્યાએ એકલા ઉપવાસ થાય. ’
"C
સાતમા મુદ્દાના નિરૂપણના પ્રતિવાદ
આ મુદ્દો કેમ ઉભા કર્યા ?
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના સાતમા મુદ્દો એ વિભાગમાં વહેંચાએલા છે. (૧) પર્વતિથિએ કઈ કઈ ગણાય છે, અને (૨) તેમાં કયી કયી કેને કાને માટે ફરજીયાત ને મરજીયાત છે? આમાંથી, પહેલા વિભાગના આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જવાબ આપ્યા નથી અને બીજા વિભાગ ભેગા આપ્યા છે એમ કહેતા હોય, તા ખીજ આદિ તિથિને પર્વતિથિ તરીકે ફરજીયાત કે મરજીયાતમાં જણાવેલ નથી. એશક, વિગેરે શબ્દ એના બચાવ માટે જ છે.
૨. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ આ મુદ્દો એટલા માટે ઉભા કર્યાં છે કે-તે કલ્યાણકપર્વતિથિઓની હાનિ–વૃદ્ધિને કબૂલ રાખે છે, કેટલીક કલ્યાણક-પર્વતિથિઓની આરાધનાને ઉડાડી દે છે તેમ જ કેટલીક કલ્યાણક-પર્વતિથિઓને અપર્વતિથિએ ઠરાવે છે, એને વાંધા ન આવે : અન્યથા, આ ચર્ચામાં પર્વતિથિઓ કયી કયી છે અગર કયી કયી તિથિ કાને કાને આરાધ્ય છે –એ આદિના નિર્ણય નહિ કરવાના હોવા છતાં, આવા મુદ્દો ઉભા જ કેમ કરે ? ઉયાદિના નિયમે સર્વ પર્વતિથિને માટે છે :
૧. આ વિષયમાં, સૌથી વધારે મહત્ત્વની મીના એ છે કે-શ્રી જૈન શાસનમાં ફરજીયાત પર્વતિથિને માટેના દિવસેા નક્કી કરવાના અને મરજીયાત પર્વતિથિને માટેના દિવસે નક્કી કરવાના નિયમે ભિન્ન ભિન્ન છે, એવું કાંઈ છે જ નહિ. સૂર્યોદયસ્પર્શ લેવા આદિના જે નિયમે અષ્ટમી—ચતુર્દશી આદિને માટે છે, તે જ નિયમે કલ્યાણુ—પર્વતિથિઓને માટે છે. શાસ્ત્રકાર મહાપુરૂષોએ પર્વતિથિને જણાવતાં, કલ્યાણક-પર્વતિથિ પણ સાથે જ જણાવેલ છે અને પ્રાતઃ પ્રત્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org