SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ [જૈન દૃષ્ટિએ તિથિનિ અને પર્વોરાધન... જેટલા ભાગ દાખલ થયેલા હાય છે છતાં ' તે ઉદ્દયવાળી તિથિના નામે જ ઓળખવામાં આવે છે.” ૨. પાતાના બીજા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણમાં આ પ્રમાણે જણાવનાર આચાયૅ શ્રી સાગરાનન્દસૂરિજી, પેાતાના ત્રીજા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણમાં વળી એથી ઊલટું જ જણાવે છે, જે નીચે મુજબ છેઃ— “ શ્રી આચારપ્રકલ્પચૂર્ણિ અને શ્રી આચારદશાચૂર્ણિની અંદર યુગ પાંચ વર્ષના અંતે આવતા બીજા આષાઢ માસની પૂર્ણિમાનો દિવસ ગણવાનું જણાવવામાં આવેલ છે. તે અધિકારમાં પાત્ર અને આષાઢ નામના ખે માસની જ વૃદ્ધિ, યુગના મધ્યમાં અને અન્તમાં થતી હાવાનું જણાવેલ હોવાથી તે પ્રકરણ પ્રાચીન ગણિતને અનુસારે છે એમ સિદ્ધ થાય છે. અને તે ગણિતમાં ૧૮૩૦ દિવસમાં ૧૮૬૦ તિથિના સમાવેશ થતા હોવાથી દરેક ૧ મે દિવસે ૬૨ મી તિથિને ક્ષય ગણતાં ૧૮૬૦ મી આષાઢ સુદ્ધિ પૂર્ણિમા તિથિના ક્ષય જ આવે છે. છતાં તે ક્ષીણ આષાઢ સુદિ પૂર્ણિમાના દિવસને ચૂર્ણિકારોએ પૂર્ણિમા તરીકે જણાવેલા છે.” ૩. ઉપર મુજખના બન્ને ઉલ્લેખાને જોવાથી સમજી શકાશે કે—આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ, શ્રી જ્યાતિષ્કરણ્ડકવૃત્તિ અને શ્રી લેાકપ્રકાશના નામે એકસઠમે દિવસે ખાસઠમી તિથિને ક્ષય હોય ત્યારે એકસઠમા આખા દિવસને એકસઠમી તિથિના નામે જ ઓળખવાનું શાસ્ત્રકારો કહે છે—એમ જણાવે છે, અને પાછા પોતે ને પોતે કહે છે કે શ્રી આચારપ્રકલ્પચૂર્ણિ અને શ્રી આચારદશાચૂર્ણિના કર્તા શાસ્ત્રકારોએ ક્ષીણુ આષાઢપૂર્ણિમાના દિવસને પૂર્ણિમા તરીકે જણાવેલા છે. આ એ વિધાનામાં સાચું વિધાન કયું ? શું શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ આદિના કર્તાઓએ અને ચૂર્ણિકારોએ એક-બીજાથી વિરૂદ્ધનું કથન કર્યું છે? એવું છે જ નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શાસ્ત્રપાઠાના ભાવ તારવવામાં ભૂલ કરી છે, માટે જ તેઓએ શાસ્રકાર મહાત્માઓને પરસ્પર–વિરાધી વાતા જણાવનારા તરીકે રજૂ કર્યા છે; પણ ધારો કે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવ્યું છે તેમ શાસ્ત્રકારાએ એક-બીજાથી વિરૂદ્ધનું કથન જણાવ્યું હોય, તે પણ અમને તે તે ઈાપત્તિ રૂપ જ છે કારણ કે–અમને તો એકસઠમે દિવસે નિધનને પામેલી એકસઠમી તિથિને માનવાના પાઠ પણ ઉપલબ્ધ થયા અને એકસઠમે દિવસે ખાસઠમી તિથિનું પણ નિધન હોવાથી તે દિવસે ખાસઠમી તિથિ માનવાના પાઠ પણ ઉપલબ્ધ થયા! જ્યારે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું એકસઠમા દિવસને એકસઠમી તિથિના દિવસ તરીકે જ માનવાનું મન્તવ્ય શ્રી ચૂર્ણિકારાના કથનથી પરાસ્ત થયું અને એકસઠમા દિવસને ખાસઠમી તિથિના દિવસ તરીકે જ માનવાનું મન્તવ્ય શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ આદિના કથનથી પરાસ્ત થયું. આમ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને તા, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ આદિ ત્રણના અને શ્રી આચારપ્રકલ્પચૂર્ણિ આદિ એના-એમ પાંચ શાસ્રાના પાઠા આપવામાં, પોતાના હાથે જ પોતાના મન્તવ્યના ઉપઘાત કરવા જેવું થયું છે. શ્રી ચૂર્ણિકારોએ પૂર્ણિમા જણાવી તેના હેતુ: ય સાચી વાત એ છે કે—શાસ્રકાર મહાપુરૂષો જે દિવસે જેટલી તિથિઓનું નિધન હોય અને એક દિવસે વધુમાં વધુ બે તિથિઓનું જ નિધન હોય, એટલે તેવા પ્રસંગમાં બન્ને ય તિથિઓના તે એક જ દિવસે સ્વીકાર કરે છે તથા તે દિવસે જે જે તિથિને ઉદ્દેશીને જે જે પ્રસંગ હોય, તે તે પ્રસંગમાં તે તે તિથિની સંજ્ઞાથી સ્વાભિમત વસ્તુનું નિરૂપણ કરે છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ, શ્રી યાતિષ્કરણ્ડકવૃત્તિ અને શ્રી લેાકપ્રકાશના, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ સૂચવેલા પાઠ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy