SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]. (૭) શ્રત વ્યવહારી કઈ પણ આચરણ શ્રુતનું ઉલ્લંઘન કરીને કરી શકે જ નહિ. (૮) જેને માટે શ્રતની પ્રાપ્તિ હોય, તેને માટે જીતની પ્રધાનતા હોઈ શકે નહિ, (૯) જે આચરણા આગમથી વિરૂદ્ધ હેય, એ કારણે સાવદ્ય તથા અશુદ્ધિકર હોય, તે આચ રણાને સ્વીકાર તે થઈ શકે જ નહિ, પણ તેવી આચરણાને (મન-વચન-કાયાથી કરવા કરાવવા-અનુદવા રૂપે) ત્રિવિધ ત્રિવિધે ત્યાગ જ કરે જઈ એ. તિથિપ્રવૃત્તિને છતવ્યવહાર ન કહેવાય તેનાં કેટલાંક કારણે ૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પ્રસ્તુત તિથિદિન અને પરાધનના મન્તવ્યભેદના પ્રસંગમાં જે પ્રવૃત્તિને વાસ્તવિક સ્વરૂપની આચરણા તરીકે જણાવેલી છે, તે પ્રવૃત્તિને કઈ પણ સમજુ માણસ, વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી કે માની શકે તેમ છે જ નહિઃ તેનાં કેટલાંક કારણેને આ નીચે ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવે છે (૧) આચરણાના વિષયમાં સર્વથી પ્રધાન વસ્તુ આગમાવિરૂદ્ધતા છે. શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રવૃત્તિને વસ્તુતઃ આચરણાનું એક પણ લક્ષણ ઘટી શકે નહિ, પણ ક્ષણભરને માટે એવી કલ્પના કરી લેવામાં આવે કે-શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને બીજાં સર્વ લક્ષણો ઘટતાં હોય, તે પણ તેને વાસ્તવિક સ્વરૂપની આચરણ કહી શકાય જ નહિ. આથી જ, પ્રવચનિક એટલે વિદ્યમાન બહુ આગના જાણ એવા પણ પુરૂષોની પ્રવૃત્તિને શાસ્ત્રથી અવિરૂદ્ધ હોય તે જ પ્રમાણ માનવી, એવું શ્રી ભગવતીજી સૂત્રવૃત્તિમાં ફરમાવેલું છે, જે આપણે જોયું. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું પર્વતિથિઓના દિવસેના સંબંધનું મન્તવ્ય શાસ્ત્રથી વિરૂદ્ધ છે કારણ કે() પર્વતિથિઓ સૂર્યોદયસ્પશિની મળે ત્યાં સુધી તે સૂર્યોદયસ્પર્શિની જ લેવી જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે, જ્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પૂનમ અગર અમાસની વૃદ્ધિએ પ્રથમ પૂર્ણિમાએ અગર પ્રથમા અમાવાસ્યાએ ચતુર્દશીને માનવાનું કહે છે અને ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિએ પ્રથમ પંચમીએ ચતુર્થી માનવાનું કહે છે. પૂનમ કે અમાસની વૃદ્ધિએ ચૌદશ અને ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિએ ભાદરવા સુદ ૪ નિયમાં સૂર્યોદયસ્પર્શિની પ્રાપ્ત થાય છે, એટલે પહેલી અમાસે કે પહેલી પૂનમે ચિદશ માનવી અને ભાદરવા સુદ પહેલી પાંચમે ભાદરવા સુદ ૪ માનવી, એ આ રીતિએ પણ આજ્ઞાવિરૂદ્ધ અગર શાસ્ત્રવિરૂદ્ધ જ છે. () વળી શાસ્ત્રની આજ્ઞા એવી પણ છે કે-જે જેમાં ન હોય તેને તેમાં માનવું એ આપ છે અને આરોપ એ મિયાજ્ઞાન છે, માટે આપ દ્વારા પર્વદિનનું નિયતાપણું કરી શકાય જ નહિ. હવે જુઓ કે-પહેલી પૂનમે કે પહેલી અમાસે ચિદશના ભેગની તથા ભાદરવા સુદ પહેલી પાંચમે ભાદરવા સુ. ૪ ના ભેગની ગબ્ધ સરખી પણ હોઈ શકે જ નહિ, એટલે પહેલી પૂનમ કે પહેલી અમાસે ચાદશ માનવી તથા ભાદરવા સુદ પહેલી પાંચમે ચોથ માનવી, એ આપ જ છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂર રિજીનું મન્તવ્ય તે આરેપ કરવાનું વિધાન કરતું હોવાના કારણે પણ શાસ્ત્રવિરૂદ્ધ છે. () વળી શાસ્ત્રની આજ્ઞા એવી પણ છે કે પાક્ષિકને માટે પંદરમી તિથિને લંઘાય નહિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy