________________
|| જૈન દૃષ્ટિએ તિથિદિન અને પવરાધન.... છતાં તેમના પક્ષને ગણના યોગ્ય માન્ય નહિ તેથી તેને ઉલ્લેખ સરખે પણ મુનિ શ્રી દર્શનવિજયજીએ કર્યો નહિ. અન્યથા, મુનિ શ્રી દર્શનવિજયજી “બે પક્ષ પડ્યા –એમ નહિ લખતાં,
ત્રણ પક્ષ પડયા”—એમ લખત અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના ભા. સ. ૫ ની વૃદ્ધિએ ભા. સુ. ૩ ની વૃદ્ધિ કરવાના પક્ષને ઉલ્લેખ કરત. પણ ખરી વાત એ છે કે-આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી વિ. સં. ૧૯૫ર માં શ્રીસંઘથી વિખુટા પડીને વિ. સં. ૧૯૯૧ માં શ્રીસંઘમાં ભળી ગયા બાદ, પાછા વિ. સં. ૧૯૮૯ માં શ્રીસંઘથી જુદા પડયા હતા, એથી ગણતરીમાં ન લેખાય તે સ્વાભાવિક છે. (૨) વળી મુનિ શ્રી દર્શનવિજયજીના ઉપર મુજબના કથનથી એ વાત પણ નિશ્ચિત થાય છે કે–ભા. સુ. ૫ ની વૃદ્ધિએ ભા. સુ. ૩ ની વૃદ્ધિ કરવાની પરંપરા નહિ હતી, પણ ભા. સુ. ૫ ની વૃદ્ધિએ ભા. સુ. ૪ ની વૃદ્ધિ કરવાની પરંપરા હતી, એવું મુનિ શ્રી દર્શનવિજયજીનું માનવું છે.
૫. ઉપર જણાવેલી શ્રી સિદ્ધચક પાક્ષિકમાંની તથા “પંચાંગ પદ્ધતિ” પુસ્તકમાંની બીનાથી જાણી શકાશે કેવિ. સં. ૧૨ ના શ્રી સાંવત્સરિક પર્વના પ્રસંગમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી એકલા જ હતા, એટલે તે તે “સ્વલ્પ વર્ગ” તરીકે પણ ગણનામાં લેવાયા નથી, છતાં તેમણે અમારા વડિલે આદિને ઉદ્દેશીને “સ્વલ્પ વર્ગ” શબ્દ પ્રયોગ કર્યો છે. જે કે–અમને તેમણે આ પ્રયોગ કરવા બદલ આશ્ચર્ય લાગતું નથી કારણ કે-વિ. સં. ૧૯૮૯ માં ભાદરવા સુદ ૫ ના ક્ષયે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને તેમના શિષ્યસમુદાય સિવાય, સકલ શ્રીસંઘે ભાદરવા સુદ ૪ ના દિવસે જ શ્રી સંવત્સરી પર્વની આરાધના કરી હતી, છતાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના જીવન-ચરિત્ર તરીકે પ્રગટ થયેલા “આગાહદારક” નામના પુસ્તકમાં ૩૩૮-૩૩૯મા પાના ઉપર નીચે મુજબની તદ્દન ખોટી બીના જણાવેલી છે–
આ વર્ષે વળી શ્રાવણ કૃષ્ણ અમાવાસ્યાએ ગ્રહણ હોવાથી પર્યુષણું પ્રસગે પરમ પવિત્ર કલ્પસૂત્રનું વાંચન ક્યારે કરવું અને ભગવાનની સંવત્સરી કયારે પાળવી એ વાદ ઉભે થયો હતો. એ સંબંધમાં પણ મહારાજશ્રીએ અનેક શાસ્ત્રોનું દહન કરીને સાચો શાસ્ત્રીય નિર્ણય પ્રગટ કર્યો હતે. આચાર્યદેવે પિતાને પક્ષ એવી તે સુંદર રીતે અને શાસ્ત્રીય દૃષ્ટિએ રજૂ કર્યો હતો કે લગભગ ગામેગામ સકળ જૈન સમાજે એ જ પ્રમાણે એ મહાપર્વોની આરાધના કરી હતી.”
૬. હવે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી સિવાયના આચાર્યાદિ શ્રીસંઘમાં વિ. સં. ૧૯૨ ના પ્રસંગમાં જે કાંઈ ભેદ પડ્યો, તેમાં પણ અમારા વડિલે આદિને ઉદ્દેશીને “સ્વલ્પ વર્ગ” એ શબ્દપ્રયોગ થઈ શકે તેમ નથી. કારણ કે ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિએ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી વિગેરેએ ભાદરવા સુદ ૪ ની વૃદ્ધિ માની હતી અને પૂજ્યપાદ વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિએ ભા. સુ. ૫ ની વૃદ્ધિ હેવાના કારણે ભા. સુ. ૪ ની કે ભા. સુ. ૩ ની વૃદ્ધિ નહિ માનતાં, ભાદરવા સુદ ૪ ના દિવસે જ શ્રી સંવત્સરીપર્વની આરાધના માની હતી. હવે આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી આદિ ભા. સુ. ૫ ની વૃદ્ધિએ ભા. સુ. ૪ ની વૃદ્ધિ માનનારા મુનિઓની સંખ્યા કેટલી અને પૂજ્યપાદ વવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આદિ ભા. સુ. ૫ ની વૃદ્ધિને કારણે ભા. સુ. ૪ ની ઉદયતિથિને નહિ વિરાધવાની માન્યતાવાળા મુનિઓની સંખ્યા કેટલી, એ તપાસવામાં આવે તે અમને લાગે છે કે-બે પક્ષની સંખ્યામાં દેઢાથી વધુ તફાવત રહે, એમ બને નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org