SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ | જૈન દષ્ટિએ તિથિરિન અને પર્વોરાધન. તે માત્ર અમે વિજયરામચન્દ્રસૂરિ અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી–એ બેને જ છે. અમે બે સિવાય, ત્રીજા કેઈને ય આ પ્રસંગમાં કાંઈ પણ રજૂ કરવાનો અધિકાર નથી. આમ છતાં, પિતાના નિરૂપણની સામે અન્ય પક્ષ, અન્ય મત કે અન્ય ગચ્છાવાળાઓ પિતપોતાનાં લખાણે રજૂ કરવાના હેય-એ દેખાવ ઉભું કરવામાં પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ડહાપણ માન્યું છે. શું જણાવીશું? ૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના નવા મુદ્દાઓને આશ્રયીને કરેલા નિરૂપણને મથાળાના સંબંધમાં તથા તેમના પ્રથમ મુદ્દાના નિરૂપણને અને તેમણે મૂકેલી નેંધના સંબંધમાં ઉપર મુજબની અતિશય જરૂરી હકીકતેને જણાવ્યા પછીથી, હવે અમે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મજકુર નિરૂપણમાં તેમના નવ મુદ્દાઓના કમે જણાવાએલી હકીકતમાં કેટલી શાસ્ત્રવિરૂદ્ધતા છે, અસત્યતા છે અને અસંગતતા આદિ છે, એ જણાવીએ છીએ. પહેલા મુદ્દાના નિરૂપણને પ્રતિવાદ દેવસુરગચ્છના જ નથી : ૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ઘડેલા પિતાના નવા મુદ્દાઓ પૈકી પહેલો મુદ્દો નીચે મુજબને છે – ૧. ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય તે પણ આપણામાં (શ્રી દેવસુર તપાગચ્છમાં) તે હાનિ-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનિ-વૃદ્ધિ થતી આવે છે તે છતવ્યવહાર ગણાય કે નહિં? અને જો ગણાય છે તે જૈનાગમના વચનની માફક પાળવા લાયક ખરો કે નહિ ?” ૨. ઉપરના મુદ્દામાં અને ઉપરના મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણના પહેલા ફકરામાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાને શ્રી વિજયદેવસૂરિ–ગ૭માંના એક તરીકે ઓળખાવેલ છે, પણ તેમના પિતાના જીવન ચરિત્ર તરીકે પ્રગટ થયેલા “આગમેદારક” નામના પુસ્તકના પરિશિષ્ટ વિભાગના ૧૭૦ મા પાના ઉપર જણાવવામાં આવ્યું છે કે – “શ્રી હીરવિજયસરિઝની પાટ પર વિજયસેનસૂરિજી તથા ઉપાધ્યાય શ્રી સહેજસાગરજી મહારાજ થયા હતા. સાગરગચ્છની શાખા અહીંથી જુદી થઈ હતી જે પ્રમાણે આ નીચે ઉભય શાખાઓ આપવામાં આવે છે.” ઉપર મુજબની વાત તરત જ ધ્યાન ખેંચાય તેવા મોટા અક્ષરેમાં છાપ્યા પછીથી “વિજયગની શાખામાં ૫૯ મી પાટે શ્રી વિજયસેનસૂરિજી અને ૬૦ મી પાટે શ્રી વિજયદેવસૂરિજી થયા–એમ જણાવેલું છે. તેની નીચે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીની પાટ પરંપરાની નેંધ છે અને તેમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું નામ નથી. “સાગરગચ્છ” ની શાખામાં ૫૯૯ મી પાટે ઉપાધ્યાય શ્રી સહેજસાગરજી થયા અને ૬૦ મી આદિ પાટે અમુક અમુક થયા–એમ જણાવીને, ૭૦ મી પાટે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી થયા, એમ જણાવવામાં આવ્યું છે. આ રીતિએ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી સાગરગચ્છના હેવા છતાં અને તેઓએ પોતાને શ્રી દેવસૂર-ગચ્છવાળા તરીકે નહિ પણ સાગરગવાળા તરીકે જ જણાવેલ હોવા છતાં, અહીં તેમણે પિતાને જે “શ્રી દેવસૂર ગ૭વાળા” તરીકે ઓળખાવેલ છે, તે ખરું પણ છે અને અપ્રાસંગિક પણ છે. વળી જગદગુરૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ પિતાની પાટે એક માત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy