________________
(૬) નિરુવમસુસંચયા :
જેને કોઈની ઉપમા ન આપી શકાય, કોઈની સાથે સરખાવી ન શકાય એવા સુખથી યુક્ત છે. સિદ્ધ ભગવંતનું સુખ કેટલું?
આખા જગતના બધા જીવોના, ઈન્દ્રોના, દેવતાઓના, ચક્રવર્તીઓના, રાજાઓના-બધા જીવોના સુખ ભેગા કરીએ, એક કાળના નહિ-ત્રણે કાળના સુખ ભેગા કરીએ એના કરતાં અનંતગણુ સુખ એક સિદ્ધના જીવનું છે. તેને કોઈની સાથે ન સરખાવી શકાય.
() બ્રહી વિડ્યિા :
સર્વથા કૃતકૃત્ય. જેના બધા પ્રયોજન પૂરા થઈ ગયા છે, જેને હવે કશું જ કરવાનું બાકી નથી. સંસારનું ભવોભવનું ભ્રમણ અંત પામી ગયું છે એવા સિદ્ધ ભગવંતોનું મને શરણે હો, મને આશરો હો.
તે મુનિ વંદો, તે મુનિ વંદો: ત્રીજું - સાધુનું શરણ, વિશેષણોપૂર્વક સાધુ ભગવંતોને યાદ કરીને તેમનું શરણ સ્વીકારવાનું
આજના કાળે સાચું ગુરુ તત્વ મળવું ચ મુશ્કેલ. જ્ઞાની ગુરુ મળવા દુર્લભ છતાં એના માટે કાંઈ બધા સાધુની પરીક્ષા કરવા ન બેસાય. એના માટે તો ભગવાનને જ પ્રાર્થના કરવાની કે “હોઉ મમ તુહ પભાવઓ, સુહગુરુજોગો,” મને તમારા પ્રભાવથી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાઓ. મારી બુદ્ધિથી શોધવા જઈશ તો ઊંધુ જ પકડાશે. મારી બુદ્ધિ અહંત્વથી ખરડાયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org