________________
(૩) પાવાવાઈ:
બધી પીડાઓ જેની નાશ પામી ગઈ છે એવા. કર્મ નથી માટે પીડા નથી. કર્મ નથી તો પછી એમનું સ્વરૂપ કેવું?
() વનના સUIT: .
કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત છે. આત્માના સ્વાભાવિક ગુણોને ભોગવે છે. દુઃખ ગયું અને સંપૂર્ણ સુખા પ્રગટ થઈ ગયું. કેવલ એટલે સંપૂર્ણ સપૂર્ણજ્ઞાન થયું, સર્વજ્ઞ બની ગયા. ત્રણે કાળની, સમયે સમયની એવી કોઈ વસ્તુ, ઘટના, પદાર્થ વિધમાં નથી જે તેઓ ન જાણી શકે.
જ્ઞાનનો વિષય જે હોય તેને શેર કહે. ત્રણે કાળના બધા શેયને જાણે તે સર્વજ્ઞ. એવું સર્વજ્ઞપણું કેવી રીતે મળે? કિંમતી વસ્તુ મેળવવા વધારે પુરુષાર્થ કરવો પડે. પેલો વેપારી ચિંતામણી રત્ન શોધવા નીકળ્યો છે. સવારથી સાંજ સુધી એક જ ધૂનમાં ગામ-પરગામ ફરે છે. દિવસો ને, મહિનાઓ ને વર્ષો વીત્યા પછી રન્નાદ્વીપમાં મળ્યું. કેવળજ્ઞાન ઘર બેઠા મળે?
(૫) સિદ્ધપુરનવારી:
સિદ્ધિપુર એટલે મોક્ષ. ૪૫ લાખ યોજનાની સિદ્ધશિલા. ૧૪ રાજલોકમાં સૌથી ઉપર છે. તેની આગળ અલોક છે. કર્મથી આત્મા સંપૂર્ણ મુક્ત બને એની બીજી ક્ષણે આત્મા ત્યાં જતો રહે. એની આગળ આલોકમાં ન જઈ શકે.
૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org