________________
માંગવું ય ન પડે સામે ચાલીને મળશે. તમારી કલ્પનાથીયે. વધારે મળશે. ભગવાનના ચરણમાં માથું મૂકી દેવાનું.
મારે ભવોભવ તમારા શાસનની સેવા સિવાય કશું જ કરવું નથી. મારે આપના સિવાય કાંઈ જોઈતું નથી. (૫) મવનનહીોદ્દા
આ ભીષણ ભવસમુદ્રમાં ભગવાન વહાણ જેવા છે. એમાં બેસીએ અર્થાત્ એમને ભજીએ એટલે આપણને સંસારની પાર ઉતારી દે.
(૬) વંતશરળા :
મારા માટે એકાંતે શરણ કરવા યોગ્ય છે. અષ્ટપ્રાતિહાર્ય યુક્ત, સમવસરણયુક્ત એવા દેવાધિદેવનું હું શરણું સ્વીકારું છું.
ભવ્યત્વના પરિપાક માટે રોજ ૩ વસ્તુ કરવાની. ચાર શરણ. દુષ્કૃતની ગીં અને સુકતોની અનુમોદના. આ ૩ વસ્તુ
કરવાની પણ સૌથી મહત્વની વાત એ છે કે તેમાં પ્રણિધાન જોઈએ. પ્રણિધાન વગર હજાર વાર ક્રિયા કરો તો ય જોઈએ તેવું ફળ ન મળે અને પ્રણિધાનપૂર્વકની ૧ વારની કરેલી ક્રિયા ઘણું ફળ આપી દે. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પ્રણિધાન એ મુખ્ય કારણ છે.
આધ્યાત્મિક જગતમાં તમે જેની ઈચ્છા કરો, પ્રણિધાન કરો તેનું ફળ મળ્યા વગર રહે નહિ. પ્રણિધાનથી ! તીવ્ર રસવાળા કર્મો બંધાય. જે લક્ષ છે તે સિવાયની વસ્તુઓમાંથી
Jain Education International
૪
For Personal & Private Use Only
www.jainelibrary.org