________________
ન
કરગર્યો પણ બધાએ કહી દીધું અમારું કાંઈ ન ચાલી શકે અમે શું કરી શકીએ ?
આ દુનિયામાં અરિહંત સિવાય કોઈની શરણ આપવાની તાકાત નથી. આ ચાર એ હૃદયમાં મુખ્ય તરીકે જોઈએ. વસ્તુપાળે મંત્રી પદ લેતાં શરત કરી કે મારા દેવ-ગુરુ ધર્મ પહેલાં પછી તમારું રાજ. એમ ન કીધું કે મારો પરિવાર પહેલો. કહી દીધું દેવ-ગુરુ ધર્મને બાજુ પર મૂકી તમને નહિ સાચવું. આવું મંજૂર કરીએ એટલે અરિહંતનું શરણું રાખ્યું કહેવાશે.
રત્નકણિકા
ગુણ માત્ર ગાવાના જ નથી હોતા, કિન્તુ ગ્રહણ પણ કરવાના હોય છે. કેરી માત્ર સૂંઘવાની જ નથી હોતી, કિન્તુ ખાવાની પણ હોય છે.
તે આત્મા ધન્ય છે. જેના હૃદયમાં ગુરુ વસે છે પણ તે આત્મા ધન્યાતિધન્ય છે, જે ગુરુના હૃદયમાં વસે છે.
Jain Education International
७०
For Personal & Private Use Only
www.jainelibrary.org