________________
આ ૪ ને છોડવાના નહિ, તો સદ્ગતિ મળે.
અરે ! મરૂભૂતિ, પાર્શ્વનાથ ભગવાનનો જીવ ભૂલો પડયો ને સમાધિ ગઈ. વેદના, આર્તધ્યાનમાં મન ગયું. કોઈ પુણ્યશાળી આખી જીંદગી તંદુરસ્ત રહે પણ છેલ્લે મૃત્યુ વખતની પીડા સહેવાની આવશે, ત્યારે શું? ત્યારે શું આ ચાર શરણ યાદ આવવાના ખરા! વૈયાવચ્ચ કરનારા કમાઈ ગયા કારણ બીજા માટે કષ્ટ સહન કર્યા છે પણ જેની પાસે આવાં યોગો નથી તેની સદ્ગતિનું શું?
બદામ ખાતા વિચારો કે આમાંથી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના થવાની છે? જો ના તો તે તમારી બદામ નિષ્ફળ. આ મિષ્ટાનનો ટુકડો આરાધના કરવા મોંમા નાંખીએ કે મમતા રાગ પોષવા?
ઉપદેશમાળામાં કીધું કે જેમાંથી રાત્રીની વૃદ્ધિ ના હોય એવી બધી દુન્વયી વસ્તુમાં હે સાધુ તારો અધિકાર નથી. દુનિયામાં નોકર માણસનો કશ કાઢતા આવડે, પણ આ શરીરને કેમ મફતીયા માલ ખવડાવીયે? આખરે એ શરીર જ આપણને પાડશે. દુકાનમાં શેઠે નોકરના માથે બધો ભાર નાખ્યો ને નોકર એવા પાકા નીકળ્યા કે છેલ્લે શેઠને દુકાનમાંથી કાયા, કબજો લઈ લીધો..
સાધુને દર્શન-૩ સિવાય બીજો અધિકાર નથી, એના સિવાયનું જેટલું કરો તેટલા ગુનેગાર છો. પણ જેમ સાધુને અધિકાર નથી તેમ શ્રાવકને પણ દર્શન - ૩ અને સાથે
(૫૦)
પછ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org