________________
મળ્યો. ચારિત્ર પાળીને અનુત્તર દેવલોકે ગયા. ત્યાંથી રાજાના ઘરે જન્મ લેશે, ચારિત્ર લેશે ને મોક્ષમાં જશે.
પ્રણિધાનપૂર્વકનું કાર્ય ઘણું ફળ આપે.
અર્જુને રાધાવેધ સાધ્યો ત્યારે તેને શું દેખાતું હતું ? પુતળીની એક માત્ર ડાબી આંખ. એવી તન્મયતા આવી જાય કે એના સિવાયની બીજી વસ્તુની ખબર જ ન પડે. બાજુમાં મોટા અવાજો થાય તો ય ખબર ન પડે. પ્રણિધાનવાળા કર્મનું ફળ તીવ્ર વિપાકવાળું મળે.
પેથડશાનું આંગી વખતે કેવું પ્રણિધાના રાજાને કામ હતું ને બોલાવવા મોકલ્યા તો પૂજામાં હતા એટલે આવવાની ના પાડી. રાજા ખુદ આવ્યો ને એમની તલ્લીનતા જોતો રહી ગયો. માળીને બદલે પોતે ફૂલ આપવા બેઠો ને ફૂલ સહેજ આડા અવળા આવવા લાગ્યા ત્યારે ખબર પડી કે રાજા આવ્યા છે.
ભાવ ઔષધ :
ચાર શરણનો સ્વીકાર,દુષ્કતની ગહ અને સુકૃતની અનુમોદના-આ ૩ કરવાથી આત્મા કર્મથી હળવો બને છે. મન પ્રફૂલ્લિત બને છે. આ ભાવ ઔષધ છે. મનમાં સંકલેશ હોય તો વારંવાર. માત્ર દ્વેષ, ક્રોધ-માન-માયાદિ હોય ત્યારે જ નહિ રાગનો સંકલેશ હોય ત્યારે પણ કરવાના. રાગ એ તો ઠેષ કરતા મોટો સંકલેશ છે.
પ્રેમસૂરિ મ. વાપરતી વખતે પંચસૂત્ર સાંભળે. કારણ
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org