SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ખોરાક આપું. એવો તપ ક્યાં સુધી? ચાવજીવ. જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી. ભવ્યત્વના પરિપાક માટે (૧) ચાર શરણનો સ્વીકાર, (૨) દુષ્કતોની ગહ અને (૩) સુકૃતની અનુમોદના. આ ત્રણ ચીજ રોજ કરવી. ચાર શરણના સ્વીકારનું ફળ એ કે બાહ્ય અને આંતરિક અપાયોમાંથી આપણું રક્ષણ થાય. મોક્ષની ઈચ્છાવાળાએ આ ૩ ચીજ દરરોજ કરવી ઓછામાં ઓછી ૩ વાર. જ્યારે ચિત્તમાં સંકલેશ હોય ત્યારે વારંવાર કરવાનું. ચિત્તની સ્વસ્થતા હોય તોય ૩ વાર તો કરવાનું જ. પણ એક બહુ મહત્વની વાત એ કે ઓ કરવાનું પણ મુળા - પ્રણિધાન પૂર્વક, મન-વચન-કાયા તેમાં ઓતપ્રોત કરીને કરવાનું. શાલીભદ્રએ એક જ વાર અને એક જ સાધુને વહોરાવ્યું પણ પ્રણિધાન જબરજસ્ત હતું તો કેટલું ફળ મળ્યું? મનમાં એક જ ભાવ કે કેવા મહાત્મા ! કેવા મહાત્મા. વચનથી પણ સાધુને આદરપૂર્વક, ભક્તિભાવપૂર્વક ઘરે વહોરવા બોલાવ્યા. વહોરાવવામાં પણ ઊંચામાં ઊંચી ખીર વહોરાવી. તો બીજા ભવમાં ગુરૂને બદલે સાક્ષાત્ અરિહંત ભગવાન મળ્યા. આટલી રિદ્ધિ-સિદ્ધિ મળવા છતાં અનાસક્તભાવ ૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy