SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક મોટા ભાઈ ના (શ્રેષ્ઠીપુત્ર થઈને જેણે દીક્ષા લીધી છે, તેના) સાંભળવામાં આવ્યા તેણે પાદ પૂરો કર્યો. આખરે બંને ભાઈ મળ્યા આ સાધુ ચક્રવર્તીને સમજાવે છે. આ સંસારના બધા સુખો દુઃખમય છે. આ ચક્રવતીપણું નરકમાં લઈ જનારું છે. પણ અહીં બ્રહ્મદત્તને ચારિત્રની ઈચ્છા જ નથી થતી. નિચાણું કરીને ધર્મ વેચી નાખ્યો હવે ધર્મ નથી જોઈતો. હવે આ સાધુ એક પગથિયું નીચે ઉતરે છે. કહ્યું કે પ્રજામાં ન્યાય, શીલ, દાન, ધર્મનું પ્રવર્તન કર. આ પગથિયું મૂક્યું. મૂળ વાત એ જ કે ઉપર Directન જવાય, પગથિયું જોઈએ. ધીરે ધીરે એના દ્વારા ઉપર ચઢશે. 4 Steps : શુદ્ધ એવો ધર્મ પામવા ૪ પગથિયા બતાવ્યા છે (૧) અપુનર્બધક(૨) સમક્તિ (૩) દેશ વિરતિ અને (૪) સર્વવિરતિ. શુદ્ધ એવો શ્રાવકધર્મ પાળીયે તેમ તેમ ઉપર ઉપરનો ધર્મ જલદી મળે. શ્રાવક ધર્મથી સાધુધર્મ.... આગળ વધતા નિરતિચાર પાલન કરતા કેવળજ્ઞાન ને અંતે મોક્ષ પ્રાપ્ત થાય. એ માટે ૪ સ્ટેપ્સ છે. આપણે આ ૪માંથી જ ક્યાંક છીએ. સમક્તિમાં શુદ્ધ બનવા પ્રયત્ન કરવાનો. તેની શક્તિ ન હોય તો અપુનર્બલકમાં સ્થિર થવાનું. આ અપુનબંધક અવસ્થા એટલે (૧) પાપ જે તીવ્ર ભાવે નવિ કરે (૨) જેહને નવિ ભવ રાગ રે, (૩) ઉચિત (૪૨) ૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy