________________
વ્યવહારના પગથીએથી, નિશ્વયને શિખરે :
ધર્મની પ્રારંભિક અવસ્થામાં Direct શુદ્ધ ધર્મની વાત ન કરાય. જીવોના જીવદળ, તથાભવ્યત્વને અનુરૂપ એની પર ચઢવા પગથિયા મૂકવા પડે. સંસારિક ફળની આશંસાથી ઘર્મ કરીએ તો ઘર્મ કોડીની કિંમતનો છે એ વિચ નયરી બરાબર છે. પણ સાથે વ્યવહારનયનો સમન્વય કરો પડે. અર્થાત નિશ્વય સુધી પહોંચવા વચ્ચે પગથિયા જોઈએ.
બ્રહાદત્ત ચક્રવર્તી, પૂર્વભવે બે ભાઈઓ સાધુ હતા. ઘોર સાધના કરતાં છેલ્લે અણસણ કર્યું. આખું ગામ દર્શન કરવા આવ્યું, ચક્રવર્તી એની રાણી સાથે આવ્યો એ રાણીની વાળની લટ અડી ગઈ. સામાન્ય નિમિત્ત મળી ગયું. વિચારે મન ચડી ગયું. આવું સુખ! નિચાણું કર્યું કે તપના પ્રભાવથી મને આવુ ચક્રવર્તીપણું મળો. ભાઈને ખબર પડી, સમજાવે છે કે ચારિત્રને બદલે ચક્રવર્તીપણું માંગવું એ મૂર્ખતા છે. ઘણું ઘણું સમજાવ્યો પણ ન સમજ્યો. નિયાણુ ન છોડયું તે મરીને દેવ થયો ને પછી બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો. છ ખંડનું સામ્રાજ્ય, ભરતક્ષેત્રનો માલિક, ૩૨,૦૦૦ મુકુટબદ્ધ રાજા, ૬૪,૦૦૦ રાણીનું અંતેપુર સુખના ભોગવટામાં મસ્ત છે...
એકવાર જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વભવ જુએ છે. વિચારે, મોટો ભાઈ ક્યાં ગયો ? એને શોધવા એક ગાથા બનાવી. છેલ્લું પદ ખાલી રાખ્યું... આખા છ ખંડમાં ફરતા એ
૪૧ For personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org