SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ એ સમજાવવાનું. અશુદ્ધ ધર્મ કરતો હોય તેને ઉતારી ન પડાય, તેને ધર્મ છોડાવી ન દેવાય. એને સમજાવવાનો કે લાખની કમાણી રાખમાં કેમ ગુમાવી દે છે? જે ધર્મથી દેવલોકના સુખો ચાવત્ મોક્ષના સુખ સહેજે મળવાના જ છે, તે ધર્મથી આવા તુચ્છ આ લોકનાં સુખોની અપેક્ષા કેમ? અને વળી ધર્મ દ્વારા જીવ અનુકુળપણે મોક્ષમાર્ગે આગળ વધે છે તો સંસારની અપેક્ષા કેમ ? ઈત્યાદિ વિવિધ રીતે એને સમજાવીને ધર્મમાં આગળ વધારવાનો. હવે નક્કી કરવાનું કે વિશુદ્ધ ધર્મ જ જોઈએ છે. શરૂઆતમાં બાળજીવની જેમ ચાલ્યા પણ હવે પ્રૌઢયુવાન બનવું છે. વિશુદ્ધ ધર્મ જ આરાધવો છે. કવિ ધનપાલ ભગવાનની ભક્તિ કરતા ભગવાનને કહે છે કે, તારી ભક્તિથી મળતી દેવલોકની ભોગ-બદ્ધિ કે સુખો નથી જોઈતા. તેમ તારી ભક્તિથી મારી નરક અટકી જાય એવી પણ કોઈ ઈચ્છા નથી. આપદ્ નિવારણ, રોગાદિ નિવારણ કે ચક્રવતીપણું તો નથી જોઈતું પણ જો મુક્તિ મળતી હોય તો તે પણ નથી જોઈતી, મને તો માત્ર તારી ભક્તિ જ જોઈએ છે ને એ મળી એટલે મને બધું મળી ગયું.” કવિઓ, ભક્તજનો પરમાત્માની ભક્તિમાં એવા એકાકાર થઈ જાય છે કે મુક્તિની પણ આશંસા-ઈચ્છા એમની છૂટી જાય છે. શુદ્ધ ધર્મ - સંસારમાંથી છૂટવાનો એક માર્ગ છે. અને તે શુદ્ધ ધર્મ. આ શુદ્ધ ધર્મ (૧) આદરબુદ્ધિથી કરવો (૨) સંજ્ઞાઓના (૩૮) ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy