________________
अणाईजीवस्स भवे - જીવનો ભવ એટલે સંસાર અનાદિકાળનો છે. સંસાર. સમ + સૃ ધાતુ. સૃ એટલે સરકવું એક ઠેકાણેથી બીજે ઠેકાણે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભવમાંથી બીજા ભવમાં સરકવાનું તે સંસાર. એ સંસાર ચારથી ચાલે છે? અનાદિથી શેના કારણે ? તો મUામ્પતંગો નિવત્તા - કર્મ અને આત્માના સંયોગથી. એ સંયોગ પણ અનાદિકાળથી. એક વાર જો સિદ્ધ ભગવંતની જેમ આત્મા ચોકખો થઈ જાય તો ચિંતા નહિ. સિદ્ધ ભગવંતનું એક વિશેષણ મૂક્યું - કૃતકૃત્ય. જેમને સંસારમાં કશું બાકી રહ્યું નથી. બધી રીતે કૃત્યતા અનુભવે છે.
સંસારનો ઉચ્છેદ શા માટે? સંસાર અનાદિકાળથી છે તો તેમાં વાંધો શો? સૂર્ય અને ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારા, પૃથ્વી અનાદિકાળથી છે જ ને ! ભલે ને સંસાર પણ એમ રહ્યો.
પણ ના, વાંધો એ જ છે કે સંસાર દુઃખરૂપ છે, દુઃખના ફળવાળો છે અને દુઃખની પરંપરાવાળો છે. વર્તમાનમાં દુઃખરૂપ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગો, જન્મ, મરણ, જરાવસ્થા, દરિદ્રતા સંક્લેશ, પૈસા, કુટુંબ, અપયશની ચિંતાઓથી ભરેલો સંસાર છે. ક્યાંય શાંતિ નથી. ચેન પડે એમ નથી. શ્રીમંતો ઉંઘની ગોળીઓ લે. અબજો રૂપિયા છતાં મનની શાંતિ નથી. વળી, જે કરીએ તેનું ફળ પણ દુઃખ. રોજના સંસારમાં નવા નવા પાપો કરવાના ને દુઃખો ઊભા કરવાના. સંસારની બધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org