________________
આવા દેવ-ગુરૂ મળ્યા પછી પ્રકૃષ્ટ પુરૂષાર્થ કરવાનો. ગુરૂ મ. (પૂ. ભુવનભાનુસૂરિ મ.)ને લક્ષમાં રાખવાના. એક સેકન્ડ પણ નકામી ન જવા દે. જ્યાં જ્યાં દોષ લાગતા હોય ત્યાં કૃપણ બનવાનું કારણ પુણ્ય વેચાઈ જાય છે, પાપ બંધાય છે. ગુણના અર્જનમાં ઉદાર બનવાનું હવે બાજી હાથમાં છે. ચુક્યા તો. રખડતા થઈ જવાના, મનુષ્ય જીવનનું ઉત્કૃષ્ટ આંતરૂ અસંખ્ય પુદ્ગલપરાવર્ત. સમક્તિ દ્રષ્ટિ આત્માને મોક્ષનું ઉત્કૃષ્ટ આંતરૂ અર્ધ પુદ્ગલ પરાવર્ત, એક પુદ્ગલ પરાવર્ત એટલે અનંતા કાળચક્ર. ચુકીશું તો શું થશે? માટે કર્મ ખપાવવાનો જબરદસ્ત પુરૂષાર્થ કરવાનો. યથાશક્તિ તપ-ત્યાગ-દેવ-ગુરૂની ભક્તિ કરવાની.
ગુરુદેવ પૂજ્યપાદ ભુવનભાનુસૂરિ મ. નો એક સિદ્ધાંત હતો, “પરમાધામી મારી કાયાને શું પીલે, હું તપ અને સંચમથી મારી કાયાને પીલી નાખું.” ધન્ના અણગારે કેવો તપ કર્યો! ચાલતાં ખડખડે હાડ . ચાલે ને હાડકા અથડાય ને અવાજ આવે. નાળીયેરીના કોચલા જેવું મોટું કરી નાખ્યું. આંખો ઊંડી જતી રહી. આવા મહાપુરૂષોને લક્ષમાં રાખી આપણા બીજા યોગો સીદાય નહિ એ રીતે તપ કરવાનો. એવો જબરદસ્ત પુરૂષાર્થ કરવાનો. ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવાનો નહિતર પુણ્ય તો ખચશે, સાથે વધુ ભયંકર એ છે કે પ્રમાદના સંસ્કાર આત્મામાં પડશે.
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org