SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ન ભોગવ્યું હોય. દુઃખ આવે છે પાપથી, એટલે આ સંસારનું એક પણ પાપ એવું નથી કે જે આપણે ન કર્યું હોય. એક એક આકાશપ્રદેશ પર અનંતા મરણ, થઈ ગયા. બધા જીવો સાથે બધા જ પ્રકારનાં સંબંધો થઈ ગયા. ઘણું રખડીને ચરમાવર્તમાં આવ્યા. પણ અહીં આવ્યા પછી પણ પુણ્ય કર્મ જોઈએ તો ઊંચી ધર્મની સામગ્રી મળે. ધર્મ મળવો સહેલો નથી. વર્તમાન દ્રશ્ય દુનિયામાં પાંચ અબજમાંથી સૌથી શ્રેષ્ઠ એવો જેન ધર્મ કેટલાને મળ્યો. આ તો કર્મએ લીલી ઝંડી આપી એટલે બધી ઊંચી સામગ્રી મળી. પણ હવે જે પુરૂષાર્થ નહિ કરીએ તો સામગ્રી કર્મસત્તા ઝૂંટવી લેશે. હવે બાજી આપણા હાથમાં છે. પુરૂષાર્થ કરીએ તો સંસારથી છૂટાચ. ૧૪ પૂર્વધર, સમકિત પામેલા પણ પ્રમાદને જોરે નિગોદમાં ગયા. હવે વિલંબ કરવો વ્યાજબી નથી. આજથી જ સાધના શરૂ કરી દેવી જોઈએ. શાસ્ત્ર બોલે છે: મહાનિશિથમાં લખ્યું કે, આપણે ઈચળના ભવ કેટલા કર્યા? તો કહ્યું કે જો આપણે કરેલ ઈયળના ભાવોમાં ઈયળનું જે કલેવર નાશ પામી જતું હોય તેને બદલે રાખી મુકવામાં આવે તો તે અનંતા લોકાકાશમાં પણ ન સમાય. આ તો ઔપચારિક વાત કરી. એવા તો તિર્યંચના, પૃથ્વી કાચના, વિકલેન્દ્રિયમાં અનંતા ભાવો કર્યા. એટલા બધા વિસ્તારવાળો, મહાભયંકર કાળ માંડ માંડ પૂરો કર્યા પછી ચરમાવતમાં આવ્યા. Jain Education International For Persone Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy