________________
આપણે ન ભોગવ્યું હોય. દુઃખ આવે છે પાપથી, એટલે આ સંસારનું એક પણ પાપ એવું નથી કે જે આપણે ન કર્યું હોય. એક એક આકાશપ્રદેશ પર અનંતા મરણ, થઈ ગયા. બધા જીવો સાથે બધા જ પ્રકારનાં સંબંધો થઈ ગયા. ઘણું રખડીને ચરમાવર્તમાં આવ્યા. પણ અહીં આવ્યા પછી પણ પુણ્ય કર્મ જોઈએ તો ઊંચી ધર્મની સામગ્રી મળે. ધર્મ મળવો સહેલો નથી. વર્તમાન દ્રશ્ય દુનિયામાં પાંચ અબજમાંથી સૌથી શ્રેષ્ઠ એવો જેન ધર્મ કેટલાને મળ્યો. આ તો કર્મએ લીલી ઝંડી આપી એટલે બધી ઊંચી સામગ્રી મળી. પણ હવે જે પુરૂષાર્થ નહિ કરીએ તો સામગ્રી કર્મસત્તા ઝૂંટવી લેશે. હવે બાજી આપણા હાથમાં છે. પુરૂષાર્થ કરીએ તો સંસારથી છૂટાચ. ૧૪ પૂર્વધર, સમકિત પામેલા પણ પ્રમાદને જોરે નિગોદમાં ગયા. હવે વિલંબ કરવો વ્યાજબી નથી. આજથી જ સાધના શરૂ કરી દેવી જોઈએ.
શાસ્ત્ર બોલે છે: મહાનિશિથમાં લખ્યું કે, આપણે ઈચળના ભવ કેટલા કર્યા? તો કહ્યું કે જો આપણે કરેલ ઈયળના ભાવોમાં ઈયળનું જે કલેવર નાશ પામી જતું હોય તેને બદલે રાખી મુકવામાં આવે તો તે અનંતા લોકાકાશમાં પણ ન સમાય. આ તો ઔપચારિક વાત કરી. એવા તો તિર્યંચના, પૃથ્વી કાચના, વિકલેન્દ્રિયમાં અનંતા ભાવો કર્યા. એટલા બધા વિસ્તારવાળો, મહાભયંકર કાળ માંડ માંડ પૂરો કર્યા પછી ચરમાવતમાં આવ્યા.
Jain Education International
For Persone
Private Use Only
www.jainelibrary.org