________________
મોક્ષમાં જાય એટલે છ મહિને ઓછામાં ઓછો ૧ જીવ બહાર આવે. પાંચ કરોડ સાથે મોક્ષે જાય તો પાંચ કરોડ જીવો બહાર આવે. વ્યવહારમાં આવે એટલે હવે તેની ટ્રાવેલીંગ શરૂ થઈ. પણ આ બાદર નિગોદમાં પણ અનંતો કાળ પસાર થાય પછી પૃથ્વીકાયમાં આવીએ. એમાંય સૂક્ષ્મ અને બાદર. પછી અપકાય અગ્નિકાયમાં બધે ફરે. ક્રમસર ઉપર ચઢે જ એવું નહિ, પાછો નિગોદમાં પણ જાય. દુઃખ સહન કરવું એ જ સાધના, નારકી, તિર્યંચ, વિકલેન્દ્રિયમાં બધે ફરી આવ્યા. અનંતોકાળ ગયો. ક્યારેક મનુષ્યભવ પણ મળે.
મોક્ષે જવાના ૫ કારણ
મોક્ષમાં જવાના પાંચ કારણ બતાવ્યા છે. (૧) સ્વભાવઃ બે પ્રકારના, ભવ્યત્વ અને અભવ્યત્વ. અભવીનો ક્યારેય મોક્ષ થવાનો જ નહિ. સમકિત પણ ન પામે. બહાર નીકળે ને પાપો કરીને પાછો નિગોદમાં જાય. અનંતોકાળ ત્યાં જ પસાર કરે (૨) નિયતિ : જે આપણને અવ્યવહાર રાશિમાંથી બહાર કાઢે. (૩) કાળ : નિયતિએ બહાર કાઢયા પછી પણ અનંતા પુદ્ગલ પરાવર્તકાળ સુધી ભટકવાનું. અનંતાભવોમાં બધે જઈ આવે. પુદ્ગલ પરાવર્ત બહુ જંગી કાળ છે. તે ક્યાં પસાર કર્યો? એક એક લોકાકાશના પ્રદેશ પર અનંતા જન્મ મરણ થયા છે. અભવ્યની કેવી દશા ? ક્યારેય મોક્ષ થવાનો જ નહિ. ભલે કદાચ સ્વર્ગમાં જઈ આવે પણ પછી તો ભટકવાનું
જ.
આપણે અભવ્ય હોત તો શું થાત ? નિયતિને સલામ
Jain Education International
૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org