________________
તેવી. બાદર નિગોદ લીલ, ફુગ જોઈ શકાય. જે દેખાય એમાંય અનંતાનંત જીવો છે. એક નિગોદમાં અનંતા જીવો શી રીતે સમાયું?
ઉદાહરણ આપ્યું કે એક માણસે લાખ ઔષધિઓ ભેગી કરી. દરેકને મહિનાઓ સુધી ઘુંટીને એકદમ સૂક્ષ્મ બનાવી. પછી તેને ભેગી કરી અને એમાંથી રાઈના દાણા જેવી એક ગોળી બનાવી. તો એક રાઈના દાણા જેવી ગોળીમાં કેટલી દવા છે? ૧ લાખ થાય ને? એમ નિગોદમાં અનંતા જીવો હોઈ શકે. ભગવાનના વચનમાં શંકા ન કરવી. અનાદિકાલિન સૂવમનિગોદ એ અવ્યવહાર રાશિ. બાદર નિગોદથી વ્યવહાર રાશિમાં આવ્યા કહેવાય. અનંતોકાળ અવ્યવહાર રાશિમાં ગયો. આયુષ્ય વધુમાં વધુ - અંતર્મુહુર્ત. એટલે ૪૮ મીનીટનું હોય એવું નહીં ૧ સેકન્ડનું હોય પાંચ સેકન્ડનું પણ હોય, ૧૦ મિનિટનું પણ હોય પણ બે ઘડીથી વધારે ન હોય. જઘન્ય આયુષ્ય લગભગ ૧ સેકન્ડનો ૨૨મો ભાગ જઘન્યથી ગણીએ તો ૧ સેકન્ડમાં ૨૨ વાર જન્મીને મરવાનું બધા વચ્ચે એક શરીર. શ્વાસ બધાનો ભેગો. ખોરાક ભેગો. ઈન્દ્રિય પણ એક જ સ્પશેન્દ્રિય. આંખ નહિ, કાન નહિ, નાક નહિ, જીભ નહિ માત્ર ચામડી. એકદમ અલ્પ ચેતના. એવી અવસ્થામાં આપણો અનંતકાળ ગયો.
એક જીવ મોક્ષમાં જાય ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે. પણ એમાં કોનો નંબર લાગે? અનંતા જીવો છે. જેની નિયતિ, ભવિતવ્યતા જાગે તે નીકળે, તેમાં કોઈ કારણ નહિ. છ મહિનામાં એક જીવ ઓછામાં ઓછો
૧૦ For Personar: Private Use Only
Jain Education International
www.jainelibrary.org