________________
ગર્હા એ ગુરુસાક્ષિક છે. આખા ગામ આગળ દુષ્કૃતો જાહેરમાં ન બોલાય. તેમ છતાં પણ જે પાપ જાહેરમાં થયા હોય, લોકોને પણ ઉન્માર્ગમાં જોડયા હોય દુનિયામાં ફેલાવ્યા હોય તેનું મિથ્યા દુષ્કૃત તો જાહેરમાં જ દેવું પડે. વ્યક્તિગત જે પાપ, દોષ હોય તેની ગાં ગુરુસાક્ષિક છે.
ગર્હા વગર અનુબંધ ન
તૂટે
કદાચ લજ્જા હોય, ગુરુતા હોય, હું કેવો દેખાઈશ ? એવો ભાવ આવે ને ગર્ભ ન કરીએ પણ પાપ અંદર ખટક્યા કરે એટલે ભગવાન પાસે કે એકાંતમાં જોરદાર નિંદા કરીએ તો પાપના કર્મ છૂટી જાય, રસ ઓછો થાય પણ પાપના અનુબંધના મૂળીયા ન ઉખડે અને એ પાછો વરસાદ આવે, નિમિત્ત મળે એટલે ઊગી નીકળે માટે ગુરુ સાક્ષિક ગીં જોઈએ.
અને પાપનિંદા માટે જરૂરી ત્રીજી વાત (૩) જે પાપ જે ભાવથી કર્યા, તે કે તેનાથી વધુ ભાવપૂર્વક એની નિંદા-ગર્લ કરવાની.
Jain Education International
:
બાંધેલું પાપ જે ભાવથી કર્યું એટલા જ ભાવપૂર્વક નિંદા કરીએ તો એ કર્મ નાશ પામે. ઓછા ભાવ હોય તો ઓછું ફળ મળે માટે આ પણ મહત્વનું છે એ ધ્યાનમાં રાખવું.
૧૩૩
For Personal & Private Use Only
www.jainelibrary.org