________________
મઢેલા હોય, ઈન્દ્રો ચામર વીંઝતા હોય, દેવદુંદુભિ વાગતી હોય, દિવ્યધ્વનિ નીકળતો હોય. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરતા હોય.
દેવ નહિ દેવોના પણ દેવ, દેવેન્દ્ર એનાથી પૂજિત. આપણે તો તેમની આગળ કંઈ વિસાતમાં નથી. આ પૃથ્વીને એક સેકન્ડમાં ઊંચકીને લવણસમુદ્રમાં નાખી શકે. આવા જબરજસ્ત શક્તિ અને સામર્થ્યવાળા ઈન્દ્રો પરમાત્માની પૂજા કરે, સમવસરણ રચે, ૩ ગઢ બનાવે ને ભગવાન એમાં ઉપદેશ આપે. | (૪) યથાવથિત વસ્તુ સ્વરૂપને કહેનારા ભગવાન સર્વજ્ઞ છે એટલે બધું જ જાણે છે અને વીતરાગ છે એટલે ક્યાંય કોઈના પર મોહ નથી, ભગવાનના વચનમાં ક્યાંય અસત્ય ન હોય. અને એવા ભગવાન
(૫) ત્રિલોકગુરુ છે. સાચો રસ્તો બતાવે તે ગુરુ. સુખ, મોક્ષ, હિતનો માર્ગ બતાવે તે ગુરુ, શાસ્ત્રના અર્થો બતાવે તે ગુરુ. ભગવાન ત્રણે લોકને શાસ્ત્રના અર્થો કહે. ભગવાનની દેશનામાં અધોલોકમાંથી અસુર નિકાયના દેવતાઓ આવે. ઉર્વલોકમાંથી દેવેન્દ્રો આવે અને તિચ્છલોકમાંથી મનુષ્યો - તિર્થયો આવે. આવા પરમાત્મા ત્રણ લોકના ગુરૂ છે. આ ભગવાનની વિશેષતાઓ બતાવી તેમને ભાવપૂર્વક નમસ્કાર કર્યા.
આ રીતે ભગવાનને પાંચ વિશેષણોથી નમસ્કાર કર્યા (૧) વિતરાગ (૨) સર્વજ્ઞ (૩) દેવેન્દ્રોથી પૂજિત (૪) યથાવસ્થિત વસ્તુના કહેનારા અને (૫) ત્રણ લોકના ગુરૂ.
()
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org