________________
કોણ ?
આ ગોશાળાથી અધિક ગહ આપણે કરવી છે. ગોશાળા કરતાં વધુ ખરાબ કર્મો આપણે કર્યા છે. આપણે કેટલા ઉંચા સ્થાને? આપણો ગુનો પણ મોટો બને. ઊંચા સ્થાન પર તો મર્યાદામાં રહેવું પડે. આપણને દેવ-ગુરુ, ધર્મ મળ્યો. ચતુર્વિધ સંઘ મળ્યો. ઊંચા સ્થાને બેઠેલા જીવો એ ચતુર્વિધસંઘ છે. સંઘ મહાન છે. મેં ઉંચા સ્થાને રહીને અધમ કાર્યો કર્યા. સૌથી અગ્રેસર એવો મનુષ્યભવ મળ્યો ને મેં વેડફી નાખ્યો. જીવનમાં ૧% ધર્મ કર્યો ને ૯૯% વિષય કષાયમાં વેડફયા. આપણે મહાગુનેગાર છીએ.
પહેલાં નિદા કરવાની ને એમાં જે ભાવ પરિણતી થાય તેનાથી ગુરુ પાસે પાપોની ગહ કરવાની ને જે પ્રાયશ્ચિત આપે એ વહન કરવાનું. નિંદા પછી ગહમાં જવાનું.
આત્મસાક્ષિક નિંદા, ગુરુસાક્ષિક ગહ. આત્મનિંદા કરતો ગોશાળો બારમાં દેવલોકે
ગોશાળાએ જબરજસ્ત નિંદા કરી. છેલ્લે આખા પરિવારને ભેગો કરે છે. કહે - “ગઈકાલ સુધી મેં જે કહ્યું તે બધું ખોટું. હું સર્વજ્ઞ નથી, હું ગોશાળો છું. હું તો એમનો શિષ્ય છું. નિમિત્તશાસ્ત્ર શીખીને જગતના ચોગાનમાં મેં મારી જાતને સર્વજ્ઞ તરીકે જાહેર કરી. હું ગુનેગાર છું. મહાવીર જ સાચા છે એમ જગતને જાણ થવી જોઈએ. મારા મૃત્યુ પછી મને દોરડે બાંધજી ને રસ્તે
(૧૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org