________________
અતિશયગર્ભિત વિશેષણ-સ્તુતિ ઃ
સૂત્રની શરૂઆતમાં અહીં મંગલાચરણ કરે છે. વિધ્નનાશ માટે મંગલ પહેલા કરવું પડે. મોટામાં મોટું મંગળ છે અરિહંતને કરેલો નમસ્કાર. નમસ્કાર ૩ પ્રકારે થાય. (૧) ઈચ્છાયોગથી, (૨) શાસ્રયોગથી અને (૩) સામર્થ્યયોગથી. પહેલામાં અરિહંતને નમસ્કાર કરવાની ઈચ્છા થાય અને નમસ્કાર કરે પણ તેમાં વિધિ-અવિધિ સચવાય નહિ. શાસ્રયોગમાં શાસ્ત્રમાં બતાવેલ સંપૂર્ણ વિધિ સાચવીને નમસ્કાર કરે. સામર્થ્યયોગ એટલે અરિહંતની આજ્ઞાનું સંપૂર્ણ પાલન. સામર્થ્યયોગ એટલે કેવળજ્ઞાનની એકદમ નજીક. તે આવે એટલે કેવળજ્ઞાન આવીને જ રહે. હવે આ નમસ્કાર વિશેષણ વગર કરીએ અને વિશેષણયુક્ત કરીએ તો બેયમાં ભાવમાં ફેર પડે માટે વિશેષણો મૂક્યા છે. અહીં અરૂહંતાણં ભગવંતાણં વિશેષ્ય છે. અરિહંતના ૩ અર્થ છે. (૧) અરિ એટલે દુશ્મન. રાગ-દ્વેષ રૂપી દુશ્મનનો નાશ કરનાર, તેને હણનાર, (૨) અરૂહ-રૂહ ધાતુનો અર્થ ઉગવું. અરુહન એટલે કે જેને કર્મ હવે ઉગવાના જ નથી અને (૩) અર્હત્-આખા વિશ્વના બધા જીવોની પૂજાને યોગ્ય છે તે એવા અરિહંતના અહિં પાંચ વિશેષણ મૂક્યા છે.
પાંચ વિશેષણો :
(૧) વિતરાગ- રાગ-દ્વેષ નીકળી ગયા છે, તેવા. ચીત: અપેતો રાગ : । રાગથી દ્વેષ અને મોહ પણ લઈ લેવાના, રાગદ્વેષ અને મોહ જેના મૂળથી નાશ પામ્યા છે તે વીતરાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org