________________
એમ લાગે તો તેમના પર સહેજ પણ ભાવ બગાડયા વગર દીક્ષા લેવાની. આ છે દીક્ષા ગ્રહણવિધિ ! પછી એ વિધિપૂર્વક પ્રવજ્યા પાળવાની અને એના ફળ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવાનો. આ બધાનો પાયો પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન છે.
આ સૂત્રપઠન શા માટે ? સૌ પ્રથમ અંદરના શલ્યોનો નિકાલ કરવો પડે સાથે સાથે ઉત્તમ ગુણોના બીજ વાવા પડે, એ બીજમાંથી જ પછી આગળના ગુણઠાણાઓ રૂપી ફળ મળે. અને વળી એ બીજ નાંખવાનુંવાવવાનું ઘણું કરીને આ મનુષ્યભવમાં જ શક્ય બને છે. સારા કે ખરાબ, જેવા બીજ અહીં વાવશું તેવા ફળ ભવાંતરમાં મળે. ગત જન્મોમાં જે દોષો અને પાપોના બીજ નાખીને આવ્યા છીએ તેને હવે દૂર કરવાના એટલે કે પાપનો પ્રતિઘાત કરવાનો અને હવે નવા ગુણોના બીજ વાવવાના એટલે કે ગુણબીજાધાન કરવાનું છે. માટે પહેલું સૂત્ર પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન કહ્યું.
રત્નકણિકા. આ મહાપુરુષોના પગલે જંગલમાં ય મંગલ અને રણમાંય ઝરણ સર્જાય છે.
કપડાં ફાટે તો ચલાવી લેજે, પણ સંસ્કાર કે ચાસ્ત્રિ ન ફાટે તેની તકેદારી રાખજો. કેમ કે એને સાંધી આપનાર કોઈ દરજી નહિ મળે....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org