SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અનુબંધવાળા કર્મો બાંધ્યા એનાથી વિપરીત જવું પડે ને એ માટે દુષ્કૃતગાં પણ પ્રણિધાનપૂર્વક કરો. જીવ સત્વહીન છે. વર્તમાનમાં સર્વત્ર રાગના જ નિમિત્તો મળે ને જીવન એમાં લેવાઈ જાય છે. પૂર્વકાળની જેમ અલ્પ રાગ-દ્વેષવાળું જીવન જીવતા હોઈએ તો વાંધો નહિ પણ અહીં તો કર્મના ઘોર લેપડા થાય છે. બાંધવા સહેલા છે, ભોગવવા અઘરા છે. ક્ષણમાં બંધાઈ જાય પણ ભોગવતા પલ્યોપમ ને સાગરોપમ જાય. નાની ભૂલની સજા મોટી શ્રેણિક મહારાજાને હિંસાના અનુબંધમાં બંધાયેલું નરકાયુષ્ય તો ૨-૫ મિનીટમાં બંધાઈ ગયું, પણ એ પાપ ભોગવવનો કાળ કેટલો ? ૮૪,૦૦૦ વર્ષ સુધી નરકનું દુઃખ ભોગવવાનું આવ્યું. ૧ લી નારકીનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષ. બાંધવાનો કાળ અંતર્મુહુર્ત હતો. પણ ભોગવતા અસંખ્યકાળે પણ ન છૂટે. માટે સાવધાન થવાનું છે. ૫ મીનીટની નાની ભૂલ પણ ભારી પડશે. મહાવીર ભગવાને કહ્યું, સમરું ગોચર્મ મા પમાયએ. એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ.... પ્રમાદ એટલે રાગ-દ્વેષ. એક નાનકડું શલ્ય : રૂકમી સાધ્વી-લગ્નના દિવસે પતિ મૃત્યુ પામે છે. શીલરક્ષા માટે વિચારે કે ભાવિમાં કાંઈ ભૂલ ન થાય માટે અગ્નિમાં બળી મરૂં. કેટલી પવિત્ર રહેવાની ટેક ! એ તો મા-બાપે ધર્મમાં જોડી. Jain Education International ૧૦૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy