________________
અનુબંધવાળા કર્મો બાંધ્યા એનાથી વિપરીત જવું પડે ને એ માટે દુષ્કૃતગાં પણ પ્રણિધાનપૂર્વક કરો.
જીવ સત્વહીન છે. વર્તમાનમાં સર્વત્ર રાગના જ નિમિત્તો મળે ને જીવન એમાં લેવાઈ જાય છે. પૂર્વકાળની જેમ અલ્પ રાગ-દ્વેષવાળું જીવન જીવતા હોઈએ તો વાંધો નહિ પણ અહીં તો કર્મના ઘોર લેપડા થાય છે. બાંધવા સહેલા છે, ભોગવવા અઘરા છે. ક્ષણમાં બંધાઈ જાય પણ ભોગવતા પલ્યોપમ ને સાગરોપમ જાય.
નાની ભૂલની સજા મોટી
શ્રેણિક મહારાજાને હિંસાના અનુબંધમાં બંધાયેલું નરકાયુષ્ય તો ૨-૫ મિનીટમાં બંધાઈ ગયું, પણ એ પાપ ભોગવવનો કાળ કેટલો ? ૮૪,૦૦૦ વર્ષ સુધી નરકનું દુઃખ ભોગવવાનું આવ્યું. ૧ લી નારકીનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષ. બાંધવાનો કાળ અંતર્મુહુર્ત હતો. પણ ભોગવતા અસંખ્યકાળે પણ ન છૂટે. માટે સાવધાન થવાનું છે. ૫ મીનીટની નાની ભૂલ પણ ભારી પડશે. મહાવીર ભગવાને કહ્યું, સમરું ગોચર્મ મા પમાયએ. એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ.... પ્રમાદ એટલે રાગ-દ્વેષ.
એક નાનકડું શલ્ય :
રૂકમી સાધ્વી-લગ્નના દિવસે પતિ મૃત્યુ પામે છે. શીલરક્ષા માટે વિચારે કે ભાવિમાં કાંઈ ભૂલ ન થાય માટે અગ્નિમાં બળી મરૂં. કેટલી પવિત્ર રહેવાની ટેક ! એ તો મા-બાપે ધર્મમાં જોડી.
Jain Education International
૧૦૧
For Personal & Private Use Only
www.jainelibrary.org