SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ]. ઝાંઝણશાએ વિ. સં. ૧૩૪૦ મહા સુદ પાંચમના દિવસે શ્રીધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાદિ ૨૧ આચાર્યોની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા નિમિત્તે મંગલ પ્રયાણ કર્યું હતું. સંઘયાત્રામાં અઢી લાખ માણસ હતા. મહામંત્રી ઝાંઝણશા શ્રી સંઘમાં પધારેલા સાધમિકેની ભક્તિ કરવામાં જરા પણ ખામી ન આવે તેની ખૂબ જ કાળજી રાખતા હતા. સવારમાં સર્વના જાગ્યા પહેલાં જાગતા અને શ્રી સંધ પ્રયાણ કર્યા પછીથી પિતાના બે હજાર અંગરક્ષકોને લઈ સંઘની પાછળ પાછળ સર્વની ખબર રાખતા પ્રયાણ કરતા હતા, કણવટીના ભાટે જઈ સારંગદેવને ખબર આપી કે મહારાજ ! માંડવગઢના મહામંત્રી ગાંઝણશા મહાસંઘ સાથે શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થની યાત્રા કરવા નીકળ્યા છે અને કર્ણાવટી તરફ પધારી રહ્યા છે. આવા શુભ સમાચાર સાંભળતાં જ મહારાજા સારંગ દેવ હાથી ઉપર બેસી વિવિધ વાત્રે સહિત મહામંત્રી સામે ગયા, મહારાજા સારંગદેવ અને સંઘપતિ મહામંત્રી ઝાંઝણશા આનંદપૂર્વક પરસ્પર ભેટયા. સંઘમાં આવેલા પિતાના સાધમી બધુઓની સંઘપતિએ મહારાજા સારંગ દેવને ઓળખ આપી. ત્યારપછી મહારાજા પિતાના રાજમહેલમાં જઈ નિજ મંત્રી દ્વારા રાજમહેલમાં જમવા માટે આમંત્રણ મોકલાવ્યું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy