SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] પૂજા કરી હતી. આ જોઈ તેજપાલ મંત્રીએ પણ બત્રીશ લાખ સોનામહોરોથી પ્રભુપૂજા કરી હતી. - શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર અનુપમાદેવીએ શ્રી ઋષભદેવ ભગવાનની બત્રીસ લાખનાં આભરણેથી પૂજા કરી હતી. આ જોઈ લલિતાદેવીએ પણ બત્રીસ લાખના આભથી પ્રભુપૂજા કરી હતી. મહામંત્રી વસ્તુપાલ અને તેજપાલના વર્ણનમાં આવે છે કે-શ્રી વસ્તુપાલે સંઘ સાથે સાડાબાર તીર્થયાત્રાએ કરી હતી. તેમાં પહેલી યાત્રા વિ. સં. ૧૨૮૫માં કરી હતી. એ પહેલી યાત્રાના સંઘમાં ૧૪૪ જિનમંદિરે હતાં. તેમાં ૨૪ હાથીદાંતને અને બાકીના કાનાં. ૪૫૦૦ ગાડીઓ, ૧૮૦૦ ઘોડાગાડીઓ, ૭૦૦ પાલખીઓ, ૭૦૦ આચાર્યો, ૨૦૦૦ તામ્બર સાધુઓ, ૧૧૦૦ દિગમ્બર સાધુઓ, ૧૯૦૦ શ્રીમતે, ૪૦૦૦ ઘોડાએ, ૨૦૦૦ ઉંટે, અને સાત લાખ મનુષ્યો હતાં. આ પ્રમાણે વધતા જતાં પ્રમાણવાળી આગળની તીર્થયાત્રાઓ જાણવી. (૧૬) વિ. સં. ૧૨૮૬ની સાલમાં મારવાડમાં આવેલ નાગોરના નિવાસી પુનડ શ્રાવકે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને સંઘ કાઢયે હતે. એ સંઘમાં ૧૮૦૦ ગાડાં હતાં અને હાથી-ઘોડા વગેરે પણ પ્રમાણમાં વિશેષ હતાં. હજારે “ભાવિક યાત્રીઓ છરી પાળતા યાત્રા કરનારા આ સંઘમાં હતાં. - (૧૭) માંડવગઢના મહામંત્રી પેથડશાહના પુત્રરત્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy