________________
પ્રયાણની સાવચેતી
24 286 286 286 286 Dઉં
પ્રયાણની સાવચેતી (૧) પ્રયાણ માટે મુહૂર્તનો મંગલ-સમય બરાબર જાળવવો! ‘ઉૐ પુણ્યાહ'ના મંગલ ધ્વનિ શ્રી સંઘ બોલાવે. (૨) મુહૂર્ત ઘડી આવતાં જ પોતાનો જે શ્વાસ ચાલતો હોય તે બાજુનો પગ સર્વપ્રથમ ઉપાડી પ્રયાણ કરવું. (૩) કોઇ કોઇ ગામમાં(પગથી) સંપુટ તોડીને પ્રયાણ કરવાની વિધિ દેખાય છે, તે પોતાના ગામના રિવાજ પ્રમાણે
કરવી. (સંપૂટ = બે કોડીયામાં સોપારી, ૧ રૂપિયો, ચોખા મૂકી નાડાછડી બાંધવી). સંઘપતિ વાજતે ગાજતે ઉપાશ્રયે ગુરુ મહારાજને વિનંતી કરવા જાય. ગુરુવંદન કરી વિનંતી કરે માંગલિક સાંભળી ચતુર્વિધ સંઘ દેરાસરે આવે. પ્રભુજીને અષ્ટપ્રકારી પૂજાનો સામાન ધરી દેવવંદન કરે... અને ચતુર્વિધ સંઘમાં પધારવા વિનંતી કરે
પ્રભુજીને ઠાઠમાઠપૂર્વક રથમાં પધરાવે ! અને પ્રભુજીને સંઘમાં પધારવા વિનંતી કરે. * ગુરુમહારાજના મુખે માંગલિક સાંભળી સંઘ પ્રયાણ કરે ! (૧) સંઘ પ્રયાણ કરે ત્યારે ! કોઇ ગામોમાં ભગવાનના રથના પૈડા નીચે શ્રીફળ મૂકવાનો-ફોડવાનો રિવાજ છે. (૨) રસ્તામાં અથવા ગામમાં જેટલા પણ મંદિરો આવે ત્યાં તે દેવોને સંતુષ્ટ કરવા શ્રીફળ-પેંડો ૧ રૂા. વિગેરે મૂકવાની
પરંપરા છે ! તેથી મૂકવું. (૩) સંઘ પ્રયાણ સમયે દશે દિશામાં બાકળા અપાય છે.(અડદ અથવા સપ્રધાનના થાળમાં સૂકા ટોપરાના ટૂકડા, પાન
વિગેરે નાખવું.)
bed
સંઘયાત્રા વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org