________________
૨૮ અણીએ લશ્કરે શહેરને શાંત પાડી દીધું હતું. કેટલાક લોકો. માર્યા ગયા હતા. કેટલાક ઘવાયા હતા. સેંકડો લોકોની ધરપકડ થઈ હતી. કોર્ટમાં કેસ દાખલ થયા. કેટલાય લોકોને વરસ-બે વરસની કેદની સજા થઈ. કેટલાક પુરાવાના અભાવે કૉર્ટમાં નિર્દોષ ઠર્યા. પરંતુ કેસ ચાલ્યો ત્યાં સુધી જામીનના અભાવે ચાર-છ મહિના જેલની હવા ખાધી. કેટલાક જામીન આપીને છૂટી ગયા અને પછી કોર્ટમાં નિર્દોષ ઠર્યા. અંગ્રેજોએ દેશી લોકોને સત્તાના બળે દબાવી દીધા. અંગ્રેજો સામે મુંબઈનો આ પહેલવહેલો બળવો કૂતરાંની હત્યા નિમિત્તે થયો. પાંજરાપોળની સ્થાપના
આ બાબતમાં કશુંક કરવું જોઈએ એવી ભાવના મુંબઈના અનેક દયાળુ લોકોને સ્કુરી. એમાં શેઠ મોતીશાહે આગેવાની લીધી. કૂતરાંઓને ગામ બહાર પાંજરાપોળ બાંધી તેમાં રાખવામાં આવે અને તેના નિભાવની જવાબદારી મહાજન ઉઠાવે એવી દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરીને કૂતરાં ન મારવાનું વચન મહાજને અંગ્રેજ સરકાર પાસેથી લીધું.
શેઠ મોતીશાહના આ કાર્યમાં જેનો ઉપરાંત હિન્દુઓ, પારસીઓ, વહોરાઓ વગેરે સૌ સાથે જોડાયા. પૈસા વગર આવું કાર્ય થઈ શકે નહિ. કોઈકે તો મોટો ભોગ આપવો પડે. થોડા વખત પહેલાં શેઠ મોતીશાહે કાવસજી પટેલના તળાવ (સી. પી. ટૅન્કોની પાસે આવેલી કાવસજી શેઠની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org