________________
૨૫
ચાલતું હતું. એ કામ નિમિત્તે રામજી સલાટને વારંવાર મુંબઈ આવવાનું થતું.
રામજી સલાટને પોતાનું મહેનતાણું સારા પ્રમાણમાં મળતું હતું, પરંતુ કેટલાક લોકોને પૈસા આવતાં ઉડાવવાની ટેવ પડી જાય અને કરજ કરવા લાગી જાય તેવું રામજી સલાટની બાબતમાં પણ બન્યું હતું. એમણે શિહોરના એક સંબંધી પાસેથી ઉધાર લીધેલી મોટી રકમ ચૂકવવાની આવી હતી. એટલે એમણે મોતીશાહે આપેલાં ઘરેણાં વેચવા શેઠના જ એક મહેતાજી શ્રી વીરચંદભાઈને આપ્યાં. શેઠને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને થયું કે પોતે ભેટ આપેલાં ઘરેણાં રામજી સલાટ વેચી દે એ બરાબર ન કહેવાય. એટલે એમણે રામજી સલાટને બોલાવી, શિહોરના સંબંધીનો બધો હિસાબ મંગાવી, ચૂકતે કરી આપ્યો હતો, અને એનાં ઘરેણાં બચાવી આપ્યાં હતાં. શેઠ મોતીશાહની કદર કરવાની દૃષ્ટિનો, ઉદારતા અને સહાનુભૂતિનો પરિચય આ પ્રમાણે કરાવી જાય છે. ભાયખલાના જિનમંદિરનું માહાભ્ય
ભાયખલામાં શત્રુંજયની ટૂક થતાં મુંબઈમાં કાર્તિકિ અને ચૈત્રી પૂર્ણિમાને દિવસે ભાયખલાની યાત્રાએ જવાનો રિવાજે પડી ગયેલો, જે આજે દોઢ સૈકા પછી પણ ચાલુ રહ્યો છે. તે સમયે કેટલાયે લોકો ભાયખલાના જિનમંદિરની નવ્વાણુમી પગપાળા યાત્રા કરતા. શેઠ મોતીશાહને પોતાની ઘોડાગાડીમાં બેસી રોજ ભાયખલા દર્શન કરવા જવાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org