SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ચાલતું હતું. એ કામ નિમિત્તે રામજી સલાટને વારંવાર મુંબઈ આવવાનું થતું. રામજી સલાટને પોતાનું મહેનતાણું સારા પ્રમાણમાં મળતું હતું, પરંતુ કેટલાક લોકોને પૈસા આવતાં ઉડાવવાની ટેવ પડી જાય અને કરજ કરવા લાગી જાય તેવું રામજી સલાટની બાબતમાં પણ બન્યું હતું. એમણે શિહોરના એક સંબંધી પાસેથી ઉધાર લીધેલી મોટી રકમ ચૂકવવાની આવી હતી. એટલે એમણે મોતીશાહે આપેલાં ઘરેણાં વેચવા શેઠના જ એક મહેતાજી શ્રી વીરચંદભાઈને આપ્યાં. શેઠને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને થયું કે પોતે ભેટ આપેલાં ઘરેણાં રામજી સલાટ વેચી દે એ બરાબર ન કહેવાય. એટલે એમણે રામજી સલાટને બોલાવી, શિહોરના સંબંધીનો બધો હિસાબ મંગાવી, ચૂકતે કરી આપ્યો હતો, અને એનાં ઘરેણાં બચાવી આપ્યાં હતાં. શેઠ મોતીશાહની કદર કરવાની દૃષ્ટિનો, ઉદારતા અને સહાનુભૂતિનો પરિચય આ પ્રમાણે કરાવી જાય છે. ભાયખલાના જિનમંદિરનું માહાભ્ય ભાયખલામાં શત્રુંજયની ટૂક થતાં મુંબઈમાં કાર્તિકિ અને ચૈત્રી પૂર્ણિમાને દિવસે ભાયખલાની યાત્રાએ જવાનો રિવાજે પડી ગયેલો, જે આજે દોઢ સૈકા પછી પણ ચાલુ રહ્યો છે. તે સમયે કેટલાયે લોકો ભાયખલાના જિનમંદિરની નવ્વાણુમી પગપાળા યાત્રા કરતા. શેઠ મોતીશાહને પોતાની ઘોડાગાડીમાં બેસી રોજ ભાયખલા દર્શન કરવા જવાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005668
Book TitleSheth Moti Shah
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2002
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy