SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ રોજ રોજ થયા કરે. દેરાસરના વિશાળ પટાંગણમાં શત્રુંજય તીર્થનો પટ બાંધવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રામજી સલાટને સોનાનાં ઘરેણાંની ભેટ શેઠ મોતીશાહે મુંબઈમાં જિનમંદિરો બંધાવવા માટે સૌરાષ્ટ્રમાંથી સલાટોને બોલાવવાનો વિચાર કર્યો હતો. પોતે મહુવા થઈને પાલિતાણા વારંવાર જતા અને મહુવાનું દેરાસર રામજી નામના સલાટે બાંધ્યું હતું અને એના કામની ખૂબ પ્રશંસા થઈ હતી એથી મોતીશાહ સમજી સલાટને પોતાની સાથે વહાણમાં મુંબઈ લઈ આવ્યા હતા. ભાયખલાની વાડીમાં દેરાસર બાંધવાનું કામ રામજી સલાટને સોંપાયું હતું. તદુપરાંત ગોડીજી અને અન્ય દેરાસરોનું પણ કેટલુંક કામ રામજી સલાટને સોંપાયું હતું. ભાયખલામાં રામજી અને એના કુટુંબને માટે રહેવાની સગવડ પણ શેઠે કરી આપી હતી. આ ભાયખલાના દેરાસરમાં બિંબપ્રવેશ મહોત્સવ–પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૧૮૮૫ના માગસર સુદ ૯ના રોજ થયો હતો. રામજી સલાટે એટલું સારું કામ કર્યું હતું કે શેઠે પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે જાહેર સભામાં રામજી સલાટને પહેરામણી તરીકે સુંડલી ભરીને સોનાનાં ઘરેણાં આપ્યાં હતાં. શેઠે આ રીતે રામજી સલાટના કાર્યની ભારે પ્રશંસા કરી હતી. ત્યારપછી શેઠે રામજી સલાટને શત્રુંજય ઉપર દેરાસર બાંધવા માટેનું કામ પણ સોંપ્યું હતું. એ કામ પણ ધમધોકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005668
Book TitleSheth Moti Shah
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2002
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy