SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂકવવામાં વાપર્યો હતો. “મુંબઈનો બાહાર' નામના પુસ્તકમાં એના લેખક રતનજી ફરામજી વાછા પોતાની પારસી ગુજરાતી ભાષામાં લખે છે કે “સકરમી પિતાનો સુપુત જાણવો હોય તો આ લાયકીવાલા શેઠ મોતીશાહ કરતાં બીજો ભાએગશાલી (ભાગ્યશાળી) કોઈને કદાચ જ મલી આવશે. આ શરીરમંત (શ્રીમંત) શેઠના બાપ જે કરજ રાખીને મરણ પામેઆ હતા તેની સાથે જોકે અંગરેજી ધારા મુજબ તેઓને કશું લાગતું-વળગતું નોહતું તો પણ કુદરતથી ઉતરેલા નીતિ કાપેદા (કાયદા) મુજબ તે દેવાનો હક અદા કરવાના હેતુથી તે મરહુમને જુદો વેપાર પોતાના હસતકમાં ચાલુ રાખેઓ હતો. જેમાં સાચી દેનતે (દાનત) સચવાએલી ધારણા જારે રૂડી પેરે પાર ઉતરી તારે તેના વધારામાંથી માગનારાઓને ચૂકવી આપી પોતાના પિતા ઉપર કર્જાથી ચોટેલો દાઘ સફાઈ કીધો અને બાકી બચેલું નાણું ધરમ ખાતામાં વાપડી દીધું. ઉપલી વાત હમો તો એક કાંહાંની જેવી જાણતા હતા. પણ તે વિશેની ખાતરી મેળવવાનો અંચતેઓ (ઓચિંતો) અવકાશ જારે મી. ડોસાભાઈ હોરમજજી ડોલાખાઉ નામના એક પારસી ગરહસથની (ગૃહસ્થની) ચાકરીમાં રહીને તેમની સાથે હમો ચીન ગએલા તારે તેનોની (તેમની) આડટે (આડતે) આગલાં વરસો પર આ શેઠીઆના હસતકથી તેમના પિતાને નામે રકમબંધ અફીન વેચવા માટે નોંધાઈ આવેલું તેમના જુના દફતરો તપાસવાની જોગવાઈ મળે આ ઉપરથી માલૂમ પડેઊં (પડ્યું) હતું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005668
Book TitleSheth Moti Shah
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2002
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy