________________
Eo
એકતામાં પરિણમી જાય અને પછી સર્વ ગચ્છા સાથે તે એકસંપી સાથે તે જિનશાસનને કેટલે મે જયજયકાર થઈ જાય !
શિથિલાચારાદિના જે કોઈ પ્રશ્નો હજી ઉકેલાઈ ગયા નથી તેના ઉકેલની દિશામાં પણ પછી તે ઝપાટાબંધ ડગ માંડી શકાય. | મુનિ સંમેલનના મુખ્યત્વે વિવાદાસ્પદ બનેલા પાંચ ઠર સંબંધમાં મેં અહીં જે સમાલોચના કરી છે તે મારા અંગત વિચાર સ્વરૂપ છે. આની સામે જે કદાચ પ્રશ્નો ઊભા કરાશે અને તે માટે અખબારે કે પત્રિકાને આશ્રય લેવાશે તે તેને પ્રતિકાર તે સાધનેથી હું આપવાને નથી. જેમને આ સમાચનાનાં પ્રતિપાદન અંગે કાંઈ પણ જાણવું હોય તેમણે મને રૂબરૂમાં જ મળવાનું રાખવું. તે વિના હું ઉત્તર આપવા માટે બંધાયેલ નથી. અખબારે વગેરેમાં હું પ્રત્યુત્તર ન આપે તેથી કઈ મારી અનિચ્છનીય ભાષામાં ટીકા કરે તે તેની મને ચિંતા નથી. તેવી ટીકા કે ચરિત્રખંડન કરવા સુધીની પત્રિકા વગેરેથી મુગ્ધ છે તે તરફ દેરવાઈ ન જાય એટલી મારી અપેક્ષા અવશ્ય છે. તે રીતે દેરવાઈ જતા પૂર્વે જે તેઓ મને રૂબરૂ મળશે. તે મને ખૂબ આનંદ થશે. તેમને સંતોષ આપવા માટે હું પૂરી કોશિશ કરીશ. તેમાં જે મારી કોઈ ભૂલ થઈ ગયેલી મને જાણવા મળશે તે તેનું યોગ્ય રીતે “મિચ્છા મિ દુક્કડું માંગવા સાથે તેનું પરિમાર્જન પણ જરૂર કરીશ.
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે “મિચ્છા મિ દુક્કડ.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org