________________
જ્યાં તીવ્ર સંઘર્ષ છે જ્યાં કષાયની તીવ્ર પરિણતિ વ્યાપક બની છે ત્યાં જિનશાસનના કોઈ પણ સત્યની આરાધના બળજી માટે અત્યંત મુશ્કેલ બની જાય છે. તિથિની અમુક જ દિવસે આરાધના કરવી એ જેમ શાસ્ત્રીય સત્ય છે; તેમ જીવનમાં સમતા રાખવી, કષાયની પરિણતિને શાન્ત રાખવી એ તે જૈનશાસ્ત્રોનું સૌથી મોટું સર્વ સત્યથી મોટું સત્ય છે. એની રક્ષા પણ કરવી જ જોઈએ ને?
સત્યના નામે કષાયના ભાવ સાથે તીવ્ર સંઘર્ષો ચાલે તે તે સંઘર્ષો પિતે જ કટ્રમાં કટ્ર પ્રકારનું અસત્ય છે. સત્યના સંરક્ષકોએ આ અસત્યનું નિવારણ કરવા માટે બધા જ પ્રયત્ન કરી છૂટવા ન જોઈએ?
બસ આ માટે જ “પટ્ટક છે. તેનાથી અવ્યવસ્થા કે સંઘર્ષનું અસત્ય દૂર થાય છે અને ઉત્સર્ગમાર્ગને તે તે સત્યેની યેગ્ય સમયે પુનઃ પ્રતિષ્ઠા પણ થાય છે.
તિથિના પ્રશ્ન ઉપર નજીકના કાળમાં “સંપૂર્ણ એકતા થાય તે ખૂબ જરૂરી છે. તેમ થશે તે જૈનસંઘમાં ઠેરઠેર પડેલી શક્તિ, બુદ્ધિ, સંપત્તિ અને વિરતિની સાધનાના બળે એક થઈ જતાં અભ્યદયકાળનાં દર્શન ખૂબ નજીકના સમયમાં જ કરવા મળશે એમ લાગે છે.
વિ. સં. ૨૦૪૪ની સાલના સંમેલનને કારણે પણ જેટલા અંશે સંઘર્ષનું નિવારણ થયું છે તેટલા અંશે વાયુમંડળમાં પ્રકુલ્લિતતા, પ્રસન્નતા તથા જૈનસંઘ માટે હવે કઈક કામ કરી છૂટવાને અને ઉમંગ વગેરે એટલા સુંદર જોવા મળે છે કે જે આ એકતા તપાગચ્છની સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org