________________
નિર્ણય–સ્વરૂપ જ હોવાથી સર્વથા શાસ્ત્રીય ગણાય છે.
અપવાદમાર્ગ પણ શાસ્ત્રવચનરૂપ જ છે તેથી તે . શાસ્ત્રવચન, ઉત્સર્ગમાર્ગરૂપ શાસ્ત્રવચનથી વિરોધી દેખાય એટલા માત્રથી તે વચનને શાસ્ત્રવિરુદ્ધ વચન કદી ન કહી શકાય. આવું જેઓ કહે તેઓ શાસ્ત્રના ઉત્સર્ગ : અપવાદના સ્વરૂપને સમજ્યા નથી એમ કહી શકાય ખરું? ' અરે! સેંકડે વર્ષોથી શ્રી સંઘમાં ચાલી આવતી ચૌદસની પફબીની આરાધનાને રદ કરીને પુનમની પફખીની આરાધના કરવા માટે - પુનમીઆ ગ૭ની સાથે ઝઘડો મિટાવવાના એક માત્ર હેતુથી કલિકાલસર્વજ્ઞ આ. ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તૈયાર થયા હતા. (અર્થપત્તિથી એ વાત સમજાશે કે તેઓ ચેાથની ચાલી આવતી સંવત્સરી છેડીને પાંચમની સંવત્સરી ફરીથી ચાલુ કરવા તૈયાર થયા હતા.)
આટલો મોટો ફેરફાર તેઓશ્રી આટલા જ માટે કરવા તૈયાર થયા હતા કે તેમને પુનમીઆ ગચ્છ સાથે ચાલ્યા આવતે દ્રવ્યપ્રતિષ્ઠા અંગેને શ્રીસંઘ સાથે સંઘર્ષ મિટાવી દેવે હતે. (આ સંઘર્ષ મિટાવવાના કાર્યમાં પુનમીઆ ગચ્છની એક સાધવીએ વિન નાંખતાં તે સંઘર્ષ મટયો ન હતે.)
અહીં એવું બોલવાનું કોઈ સાહસ તે નહિ કરે કે કલિકાલસર્વજ્ઞ સંઘર્ષ મિટાવવા માટે “ચેથની સંવત્સરી'ના સત્યને ત્યાગ કરવા માટે જે વિચારણા કરી, તે માટે જે પ્રયત્ન કર્યા તે તેમણે ઘણું મટી ભૂલ કરી !”
નાતેમણે ભૂલ કરી જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org