________________
મેં પૂર્વે જણાવ્યું છે તેમ પાટણમાં કાળધર્મ પામેલા પૂજ્યપાદ પં. કાનિવિજયજી મ. સા.ની ઉછામણું સાધુપૈયાવચમાં ગઈ છે. આમ કુલ પાંચ પરંપરાઓ થઈ !
વસ્તુતઃ સંમેલન એ ઘણા બધા ગીતાર્થ મહાત્માએનું સંમેલન હતું. એમાં ભવભીરુ અને ઉત્સત્રથી ગીતાર્થ આચાર્યો હતા. જ્યાં સ્પષ્ટ શાસ્ત્રપાઠનું વિધાન હાય નહિ અને જ્યાં તે નિષેધ પણ હેય નહિ; જ્યાં પાંચ અલગ પરંપરાઓ ચાલતી જોવા મળતી હોય ત્યાં [આવી બાબતમાં તેઓને તેવા તેવા દુષ્કાળાદિના દેશકાળના સંગે નજરમાં રાખીને કેઈ એક સર્વાનુમતે નિર્ણય લેવાને અધિકાર શાસ્ત્રકાર ભગવંતેએ આપેલે છે. આવા અધિકારને ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવેલ છે એમ જણાવી શકાય. '
કયાંક વિરોધીઓ આ રકમને દેવદ્રવ્ય ખાતે જ લઈ જવાનું કહીને એવું પ્રતિપાદન કરે છે કે “ઉપરના ખાતાની રકમ નીચેના જીવદયાના ખાતે ન જાય.” પણ આ નિયમ જીવદયાના ખાતાને લાગુ પડતું નથી. તે કઈ નીચેનું ખાતું જ નથી. એ તે સાવ સ્વતંત્ર ખાતું છે. આથી જ નીચેના ખાતાની રકમ ઉપરના ખાતે લઈ જવાય એ શાસ્ત્રોક્ત નિયમ જીવદયાની રકમને લાગુ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org