________________
કઈ સર્વમાન્ય પરંપરાને આધાર.
વળી જેઓ મૃતકને મુનિનું જ્ઞશરીર ગણીને આ રકમને ગુરુદ્રવ્ય ગણીને જે દેવદ્રવ્ય ખાતે જ લઈ જવાના આગ્રહી છે તેઓએ મુમુક્ષુના વસ્ત્રોની ઉછામણીની રકમ પણ ગુરુદ્રવ્ય ગણીને દેવદ્રવ્યમાં જ લઈ જવી પડશે કેમકે મુમુક્ષુ તે ભવ્ય-શરીરરૂપે દ્રવ્ય-સાધુ જ છે. હવે આ રકમમાંથી એ નિમિત્તે જિનભક્તિ મહોત્સવ કરવાનું કે આ રકમ ગુરુસ્મારકમાં લઈ જવાનું પ્રતિપાદન શી રીતે કરી શકે? શું દેવદ્રવ્યની રકમમાંથી આ બધું થઈ શકે ખરું?
વળી તેઓએ પિતે બહાર પાડેલી ચાર વિવાદાસ્પદ ઠની સમાચનામાં ગુરુપૂજન અંગેના ઠરાવમાં એવા આશયનું જણાવેલ છે કે, “સંમેલને ગુરુપૂજનની રકમ દેવદ્રવ્ય અથવા સાધુ-વૈયાવચ્ચમાં લઈ જવાનું ઠરાવેલ છે તે બરાબર નથી. કેમકે જ્યારે આ રીતે ગુરુપૂજનની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાની યોગ્યતા ધરાવે છે ત્યારે તેને હવે સાધુ-વૈયાવચ્ચમાં લઈ જવાય જ નહિ.” - આ તકે તેઓને અહીં ભયંકર રીતે નડે છે. મૃતકની ઉછામણીને તેઓએ જીર્ણોદ્ધારમાં જવાને ગ્ય જણાવી છે એટલે હવે તે રકમને તેઓ સ્મારક કે જિનભક્તિ મહેત્સવમાં પણ લઈ જવાનું પ્રતિપાદન શી રીતે કરી શકે? મને તે લાગે છે કે આ વિરોધ પિતાને ઈષ્ટ રીતે-વિરોધ કરવા માટે જ કરાઈ રહ્યો હોવો જોઈએ. આથી જ તેમનાં જે પ્રતિપાદને તેમને જ ફેરવવાં પડે છે. [પહેલાં દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેલ, હવે ત્રણ ખાતે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org