________________
૭૮ સંમેલનના વિરોધીઓના હૈયામાં ઘૂમરાતી વાત કઈ બીજી જ લાગે છે. તે અહીં જોઈએ.
કેટલાંક વર્ષો પૂર્વે પૂ. સ્વર્ગસ્થ કલ્યાણવિજયજી મ. સાહેબે વર્તમાનકાલીન વેતામ્બરીય જિનપૂજા પદ્ધતિને સખ્ત વિરોધ કર્યો હતે. તેમણે તે અંગે ઘણું કડક સમાલોચના કરી હતી.
આ સંમેલન તેમની ગાડીમાં બેસી ગયું છે એમ માની લઈને ઠરાવને સખ્ત વિરોધ થતું હોવાનું અનુમાન છે.
જ્યારે હકીકત તે પ્રમાણે નથી. તે સ્વર્ગસ્થ મહાત્માની વાત તેમના ગ્રન્થમાં હાલ ભલે રહી. સંમેલનના શ્રમણેએ તેને વિચાર કર્યો પણ નથી, એમણે તે અષ્ટપ્રકારી પૂજામાં, પ્રક્ષાલ, કેસર, બરાસ વગેરે આવવાના કારણે પૂજારીની જરૂરીઆત ઈ. પૂજારીવર્ગે મંદિરમાં પેસીને કરેલી ઘરઆશાતનાઓ અવિરતપણે, દાદ આપ્યા વિના, દરકાર કર્યા વિના ચાલતી જોઈ અને તેથી જ આશાતના-નિવારણ માટે ઠરાવ કર્યો. તે પણ જૈનેની વસતિ વિનાના ગામડાઓ વગેરેમાં વાસક્ષેપ પૂજાથી પણ છેવટે ચલાવી લઈને આશાતના નિવારણ જારી રાખવાનું જણાવ્યું.
જે આ તાત્પર્યને સારી રીતે સમજવામાં આવશે તે ઠરાવને વિરોધ કરવાની માંડવાળ કરી દેવાશે.
પરમાત્મા પ્રત્યેની અપાર ભક્તિથી પ્રેરાઈને જ આશાતના નિવારણને વિચાર ગામડામાં વાસક્ષેપ પૂજાના વિધાન સુધી પહોચેલ છે. આ વાત સમજતા પંડિતજનોને ક્ષણની પણ વાર લાગે તેમ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org