________________
G૭ વળી જે ગામડાઓમાં એકલા પૂજારીને ભગવાન સોંપાઈ ગયા હોય, જે અષ્ટપ્રકારી પૂજા કરવામાં તે પૂજારી વાળાફેંચી આદિથી ઘેર આશાતનાએ જ કરતે હેય; વિધિવત્ પૂજન માટે સમજાવતા છતાં જે તે માનતે જ ન હોય તે તેને શ્રીસંઘે કહેવું જ પડે કે “અમારા ભગવાનની તું હવે માત્ર વાસક્ષેપ પૂજા કે પુષ્પપૂજા જેવી શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલી એક પ્રકારની જ પૂજા કર. અમને સંતેષ છે. આથી વાળા કૂંચી આદિથી થતી ઘેર આશાતનાઓ તે ટળશે.” આવી સ્થિતિમાં માત્ર વાસક્ષેપ-પૂજા કરવાનું વિધાન થયું છે તે ઉપરથી તેઓએ “પૂજા” જ ઉડાવી દેવાને આક્ષેપ સંમેલન ઉપર કર્યો છે. તેઓ એમ સમજતા લાગે છે કે પૂજા એટલે પ્રક્ષાલાદિ સ્વરૂપ અષ્ટપ્રકારી પૂજા. પણ આ વાત બરાબર નથી. શાસ્ત્રકારોએ એક પ્રકારી (પુષ્પાદિ સ્વરૂ૫) અષ્ટપુષ્પી વગેરે પૂજાને પણ પૂજા કહી જ છે.
સંમેલનના આ ઠરાવની પાછળ આ આશય છે. આમાં અષ્ટપ્રકારી પૂજાઓ બંધ કરી દેવાની કોઈ વાત સુદ્ધાં નથી. અરે! ધનવાન પ્રભુભક્તો ધનમૂર્છાને ઉતારીને હંમેશાં અષ્ટપ્રકારી જ નહિ પરંતુ સર્વ પ્રકારી (નવાણું અભિષેકાદિરૂ૫) જિનપૂજા કરે છે તે કેટલું સુંદર ? તેથી આ ધરતી ઉપર કેટલું બધું પુણ્યબળ વધશે ! જેથી આખા જગતમાં સાચા સુખ, શાન્તિ અને જીવના હિત પ્રસરી જશે!
આજે લગભગ સર્વત્ર વ્યાપક બનેલી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાને નિષેધ કરવામાં આ ઠરાવનું લગીરે તાત્પર્ય નથી, ઠરાવનું તાત્પર્ય આશાતના નિવારણમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org