________________
ઠરાવ નં. ૧૭ જિનપૂજા અંગે શ્રાવકોને માર્ગદર્શન
ઠરાવઃ “જૈન શાસનમાં પરમાત્માની ભક્તિ એ ઉત્કૃષ્ટ આરાધનાનું અંગ છે. જિનેશ્વરદેવની દ્રવ્ય અને ભાવપૂજા એ શ્રાવકનું મુખ્ય કર્તવ્ય છે. અને શ્રાવકોએ એ રીતે પરમાત્માની હંમેશા પૂજા કરવી જોઈએ.
હાલ આ પૂજાનું કાર્ય નેકરને સોંપાઈ ગયું છે, જેથી અનેક પ્રકારે ઘેર આશાતના થઈ રહી છે, જે જાણુને તથા જોઈને હૈયું કંપે છે. તેથી શ્રમણ સંમેલન ઠરાવ કરે છે કે, શ્રાવકોએ પરમાત્માની અંગપૂજા જાતે જ કરવી, પણ કરે પાસે કરાવવી નહિ. - જ્યાં શ્રાવકની બિલકુલ વસતિ ન હોય ત્યાં વાસક્ષેપ અને અપૂજાથી સંતોષ માન. પ્રતિમાનાં અંગ-ઉપાંગોને સહજ પણ ઘસારો ન પહોંચે તે પદ્ધતિથી પૂજા કરવી.”
સંમેલનના શ્રમણએ વિહાર દરમ્યાન તથા માસાના ક્ષેત્રમાં – અનેક સ્થળે જોયું કે શ્રાવકે સ્વયં જિનપૂજા કરતાં નથી. બહુ જ થેડા શ્રાવક-શ્રાવિકાઓ સંપૂર્ણ જિનભક્તિ સ્વયં કરતા હોય છે. જેમ સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી
ઈએ તેમ સ્વયં જિનપૂજા કરવી જોઈએ. પિતાના આર્થિક વગેરે કારણે સર સમયાદિના અભાવને લીધે શ્રાવકે પૂજારીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org