________________
(નીચલા ખાતામાં) વાપરવાનું કહેવા દ્વારા કેટલા મોટા દોષમાં પડયા ગણાશે !!”
ગુરુપૂજનનું દ્રવ્ય જે સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાશે તે તેથી સાધુ-સાધ્વીને તેમાં આસકિત પેદા થવાને ભય છે. આથી જ તેને જીર્ણોદ્ધારમાં જ લઈ જવું જોઈએ.” તેમ આ ઠરાવના વિરોધીઓનું કહેવું છે. - આને જવાબ એ છે કે આસક્તિ પેદા થવાને પ્રસંગ નિવારવા માટે જ ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, “આ ગુરુદ્રવ્યને વહીવટ શ્રાવક સંઘ કરશે.” જે સાધુ કે સાધ્વી પાસે મુમુક્ષુ આત્મા દીક્ષા લે છે તેની દીક્ષા લેતી વખતના ઉપકરણેની ઉછામણીની રકમ ઉપર તે મુમુક્ષુના ગુરુ આસકિત કરતા નથી. વહીવટ પણ કરતા નથી તે રકમ સાધુ-વૈયાવચ્ચ ખાતે જ જતી હોય છે અને તેને વહીવટ સંઘ જ કરતે હોય છે. આવું જ ગુરુને કામની વહોરાવવાની ઉછામણની રકમને અને ગુરુપૂજનની રકમને સાધુ-વૈયાવચ્ચે ખાતે લઈ જઈને તેને વહીવટ શ્રાવકસંઘ કરે તેવું ઠરાવમાં અભિપ્રેત છે. આ રીતે આસક્તિનું નિવારણ કરવું જ રહ્યું.
અન્યથા મિષ્ટાન્ન ભેજનાદિમાં પણ સાધુને આસકિતપ્રસંગ ઊભે જ છે તે શું શ્રાવક વર્ગે તે અંગેની ભક્તિ જ બંધ કરી દેવી? વળી જે ગુરુચરણે મૂકેલા ધનમાં આસકિત થવાને ભય છે તે તે સ્ત્રીઓ દ્વારા સાવ નજીક આવીને જ થઈ શકતા નવાંગી ગુરુપૂજનમાં તે કામાસકિત થવાને નાના સાધુઓને મેટો ભય છે. શું તે બંધ કરી દેવાશે ખરું? વસ્તુતઃ તે ખાનદાન કુળમાંથી શ્રમણ બનતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org