________________
૫૫
ઉતાવળ થાય છે. સાધન-વિચારમાં આપણે જોયું કે દેવદ્રવ્યનાં પ્રચલિત સાધને એવા સમયમાં પ્રગટ થયાં છે કે તે શાસ્ત્રીય હવાની સંભાવના જ થઈ શકતી નથી. જે ઉક્ત સાધને શાસ્ત્રોક્ત હોય, તે શ્રાદ્ધવિધિની પહેલાના શ્રાવક–પ્રજ્ઞપ્તિ, સંબધ પ્રકરણ, શ્રાવકધર્મ, પંચાશક, શ્રાદ્ધદિનકૃત્ય વગેરે શ્રાવકધર્મપ્રાતિપાદક પ્રાચીન ગ્રંથમાં તે ઉલ્લેખ કેમ જેવાતે નથી? ખરી વાત તે એ છે કે જેમ જેમ દેવદ્રવ્યને ખર્ચ વધતે ગયે, તેમ તેમ તેને પહોંચી વળવાને નવાં નવાં સાધને ઊભાં થતાં ગયાં. “આ સાધને સુવિહિત આચાર્યો દ્વારા ઊભાં થયાં હશે એમ માનવામાં પણ ભૂલ થાય છે. આ સાધનની સમય તપાસતાં જણાશે કે તે લગભગ સર્વ દેરાસરને કબજે ચૈત્યવાસીઓના હાથમાં હતે, ચૈત્યદ્રવ્યને કયે કયે માર્ગે ખર્ચ કરે તેને નિર્ણય તેમની મુન્સફીની વાત હતી. આવી સ્થિતિમાં દેવદ્રવ્યને ગેરઉપગ પ્રત્યક્ષ જેવા છતાં સુવિહિત આચાર્યો નવાં નવાં સાધને ઊભાં કરાવી દુરૂપયેગને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરાવે, એ વાત માની શકાય તેવી નથી. જે મારી માન્યતા ભૂલ ભરેલી ન હોય તે ચડાવા કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાના ઉપાયે સુવિહિતેની આચરણા નથી, પણ ચૈત્યવાસી અને તેમના હાથમાં રમતા શ્રાવકેની કપેલી રૂઢિઓ છે. આવી રૂઢિઓને શાસ્ત્રીય અથવા સુવિહિત પરંપરા માનીને કેલાહલ મચાવે એ અસદાગ્રહ નહિ તે બીજું શું
. કહેવાય ?
વાચક ગણ તર્ક કરશે કે “જે પૂર્વોક્ત સાધને રૂઢિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org