________________
૫૪
ઉછામણી કરીને દેવદ્રવ્ય વધારવાના ઉપાય ચાલુ થયા
જણાતા નથી.
સંબંધ પ્રકરણમાં દેવદ્રવ્યની વૃદ્ધિના ઘણા ઉપદેશ કર્યો છે, પણ કોઈ પણ જાતના ચડાવા દ્વારા દ્રષ્યવૃદ્ધિ કરવાના તેમાં ઉલ્લેખ નથી.
ચૈત્યવાસીઓના સમયમાં નિર્માણુ થયેલ શ્રાદ્ધદિનકૃત્ય ગ્રન્થમાં દેવદ્રવ્યના સંબંધમાં ઘણું લખવામાં આવ્યું છે, છતાં ચડાવા કરીને દ્રવ્યવૃદ્ધિ કરવાના તેમાં પણ ઉપદેશ જણાતા નથી.
આ ઉપરથી માનવાને કારણ મળે છે કે પરિધાનિકા, પૂજા, આરતી વગેરેના ચડાવા કરીને દેવદ્રવ્યવૃદ્ધિ કરવાના રિવાજો તે વખતે ચાલુ થયા ન હતા.
ખારમી સદી પછી ઇંદ્રમાળ વગેરેના ચડાવા થયાના ઉદાહરણા અર્વાચીન ગ્રંથામાં જોવાય છે. પદરમી સદીના ઉત્તરાધમાં રચાયેલ શ્રાદ્ધવિધિની ટીકામાંથી માલાઘાટનના ઉત્સવ કરીને, ઇંદ્રમાલ પહેરીને, પહેરામણી ધાતિ વગેરે મોકલીને ઉછામણી પૂર્વક આરતી વગેરે કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાના ઉલ્લેખ મળી આવે છે.
આ પ્રમાણે લગભગ બારમી સીના ઉતારમાં દેખા દઇ ક્રમિક વૃદ્ધિ પામતા ચડાવાના રિવાજ આજે . સેકડે શાખાઆથી વિસ્તૃત થયા છે, અને તેથી ઉપજતા દ્રવ્યના મુખ્ય ભાગ દેવદ્રવ્યમાં જાય છે.
મારી માન્યતા પ્રમાણે શ્રાદ્ધવિધિ–ટીકામાં ગણાવેલા દેવદ્રવ્યની વૃદ્ધિનાં કારણેા શાસ્ત્રોકત છે' એમ કહેવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org