________________
પર
સફળ પણ થયે હશે; છતાં રમૈત્યવાસીઓના અભેદ્ય કિલ્લાને તે તેડી શક્યા નથી એ વાત તે નિશ્ચિત છે.
ચૈત્યવાસીઓનું આ બળ વિક્રમની દસમી સદી સુધી અખંડિત રહ્યું. અગિયારમી સદીમી ચૈત્યવાસીઓનાં કાર્યોની સામે પ્રોટેસ્ટ ઊઠવા શરૂ થયા, બારમી અને તેરમી સદીમાં ઘણું વધારે થયે અને તેને પરિણામે પૌર્ણમય, સાઈપર્ણનીય, ખરતર, આગમિક, આંચલ વગેરે અનેક ગચ્છની ઉત્પત્તિ થઈ. આમાં જે કે કેટલીક બાબતમાં આંધળે બહેરું કુટાયા જેવું થયું છે, ચૈત્યવાસીઓના ખંડનની ધૂનમાં કેટલીક શાસ્ત્રીય વાતેનાં પણ ખૂન થયાં છે, છતાં એટલું તે કહેવું જ પડશે કે જે ચૈત્યવાસીઓની સત્તા આટલી હદે ન પહોંચી હોત; તે આટલા ગચ્છ અને મતની ઉત્પત્તિ થવી મુશ્કેલ હતી.
આ ઉપરથી સ્પષ્ટ જણાશે કે છઠ્ઠીથી દસમી સદી સુધીની ચાર-પાંચ સદી ચૈત્યવાસીઓની સત્તાની હતી, તે દરમિયાન દેવદ્રવ્યની વૃદ્ધિ સાથે તેને ગેરઉપયોગ પણ વધે હતે. પ્રથમ જ્યારે દેવદ્રવ્ય મુખ્ય ભાગે ભંડારમાં જ પડયું રહી, “મંગલદ્રવ્ય, નિધિદ્રવ્ય”, “શાશ્વત દ્રપ ઈત્યાદિ પિતાના નામને સફળ કરતું, ત્યારે ચૈત્યવાસીઓને હાથે તેની ખરેખદી દુર્દશા થઈ, વૃદ્ધિને લેશે તે વડે મકાન, ક્ષેત્ર, વાડી, ચતુષ્પદાદિ અનેક પ્રકારની સ્થાવર જંગમ મિલકત ઊભી થવા લાગી અને પરિણામે તરવાના સાધન વડે જ લેકો ડૂબવા લાગ્યા. આવી રીતના દેવદ્રવ્યની વૃદ્ધિના માર્ગો નીકળવા છતાં પણ બારમી સદી સુધી પૂજા, આરતી વગેરેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org