________________
આથી જ આ રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે એમ લાગે છે.
ટૂંકમાં, ભેટરૂપે શરતી મળેલું દ્રવ્ય તે પૂજા-દેવદ્રવ્ય કહેવાય. તેને ઉપયોગ જિનના દેહગેહ માટે જ થઈ શકે. કલ્પિત દેવદ્રવ્ય તે જિનમંદિરના સર્વકાર્યોના નિર્વાડની કલ્પનાથી ઊભું કરાયેલું દ્રવ્ય [રીઝર્વ-ફંડ કે બેલી-ચડાવાનું ધન છે. તેને ઉપયોગ જીર્ણોદ્ધાર, જિનપૂજા, પૂજારી આદિને પગારાદિમાં આપી શકાય.
અહીં જણાશે કે સામાન્ય રીતે કલ્પિત–દેવદ્રવ્યમાંથી જ પૂજારી આદિને પગારાદિ આપી શકાય.
વિગધિ નિર્માલ્ય-દેવદ્રવ્યમાથી જિનની અંગપૂજા તે ન જ કરી શકાય. પૂજા દેવદ્રવ્યથી મુખ્યત્વે જિનપૂજા કરી શકાય.
દેવદ્રવ્યની આ શુદ્ધ વ્યવસ્થાનું નિર્માણ જલદીમાં જલદી કરવું જોઈએ. સંમેલને આ વ્યવસ્થાનું પુનઃનિર્માણ કર્યું છે. આ ઠરાવના વિરોધીઓએ પિતાના સમગ્ર જીવનકાળમાં
ક્યમાં આ વ્યવસ્થાનું નિર્માણ કર્યું નથી. અને છતાં તેઓએ સંમેલનના આ ઠરાવ ઉપર ભેળી પ્રજાને આડરસ્તે દેરવીને હા મચાવી દીધી છે.
વસ્તુતઃ આ પેટા વિભાગોને વિષય જ ખૂબ ગંભીર ' છે. એનું એકદમ સ્પષ્ટ વિવેચન નહિ મળવાથી પૂર્વકાલીનવિવેચકેએ પણ અને તે.... “આનું તત્ત્વ કેવલી ભગવંત જાણે” એમ કહીને ચૂપકી પકડી છે. આથી જ આ વિષયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org