________________
૪૮
પૂજાદેવદ્રવ્યઃ પરમાત્માના ભક્તો એમ સમજતા હોય છે કે જિનપ્રતિમા એ સાક્ષાત્ જિનેશ્વરદેવ ભગવાન છે. આથી જ તેઓને સહુથી વધુ ઉલ્લાસ જિનપૂજા -અંગપૂજારૂપ કે અપૂજારૂપમાં દ્રવ્ય વાપરવાનું હોય છે.
ભગવંતની પૂજા માટે જ ભક્ત અનેક રીતે જે ભેટ આપે તે બધું પૂજા-દેવદ્રવ્ય કહેવાય. દુકાનની ભાડાની આવક, લાગાઓ, ખેતરે, રેકડ રકમ, કેસર વગેરે. કે તૈયાર આભૂષણો અથવા તેના માટેનું સોનું કે ચાંદી વગેરેઆવી જે કાંઈ પણ ભેટના રૂપમાં આવક થઈ હોય તે ભાડા વગેરે રૂપમાં ભેટ તે પૂજા–દેવદ્રવ્ય કહેવાય [આ જ બધી ભેટ જે જિનમંદિરના નિર્વાહ માટે આપવામાં આવી હોય તે તે કલ્પિત–દેવદ્રવ્ય ગણાય.] આ રીતે તે મળેલા પૂજાદ્રવ્યને ઉપગ જિનેશ્વરદેવના દેહ ઉપર જ કેસર– પૂજા, આભૂષણ ચડાવવા વગેરેમાં થાય. અને અગ્રપૂજામાં પણ થાય.
વળી જિનના દેહમાં આ ભેટ વપરાય તેમ જિનના ગેહ [જિનમંદિરના જીર્ણોદ્ધારાદિમાં પણ આ ભેટ વપરાય. [અવ્યવસ્થિત જિનગેહમાં જિનદેહ-જિનપ્રતિમા ન રખાય. એટલે જિનગેહમાં પણ આ પૂજા–દેવદ્રવ્ય ઉપયોગ કરી શકાય.]
નિર્માલ્ય દેવદ્રવ્યઃ નિર્માલ્ય બે પ્રકારનાં હોઈ શકે છે. પ્રભુજીને ઘરેલું, ચડેલું કે તેમની સામે મૂકેલું દ્રવ્ય. તે બધું નિર્માલ્ય કહેવાય. એટલે કે વરખાદિને ઉતારો ફળ, ફૂલ, નૈવેદ્ય, વસ્ત્ર, અક્ષાત, રોકડ રકમ વગેરે નિર્માલ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org