________________
૪૭.
૯૦ અને ૪૪ના ઠરાવમાં ફરક શું છે?
સ્વપ્નાદિકની બેલી–ચડાવાની રકમમાંથી [અશકત સ્થળમાં પૂજારીને પગારાદિ નહિ આપવાની વાત કરતાં આચાર્યો કહે છે કે, “પૂજારીને પગાર આપવા માટે કે દેરાસરમાં જરૂરી કેસર વગેરે પૂજા-સામગ્રી માટે બાર માસના કેસરાદિના ચડાવા બેલાવીને સાધારણ ખાતે રકમ જમા કરવી જોઈએ અને તેમાંથી જ પગાર વગેરે આપવા જોઈએ.”
જો આમ જ કરવું છે તે તે જ આચાર્યોએ ૯૦ના સંમેલનમાં દેવદ્રવ્યમાંથી પૂજારીને પગારાદિ [અશક્ત સ્થળમાં આપવાને ઠરાવ શા માટે કર્યો? શા માટે સાધારણ ખાતાની આવકના ઉપાયે જવાનું તે વખતે ન દર્શાવાયું?
હવે આજે જ આ હોહા કેમ મચાવી દેવાઈ છે? ૯૦ના સંમેલને દેવદ્રવ્યમાંથી પગારની સંમતિ આપી છે તે ૪૪'ના આ સંમેલને “કલ્પિત દેવદ્રવ્યમાંથી પગારમાં સંમતિ આપી છે. આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થાની સામે ઊહાપોહ કરવાનું કઈ પ્રજન ખરું? બાકી યથાશક્ય સાધારણને ફાળે કરવાની વાત તે સંમેલનને પણ મંજૂર જ છે. એમાં કોઈ વિવાદ નથી.
દેવદ્રવ્યના પેટા ત્રણ ભેદ અંગે વિશેષ વિચારણા
અવધારણ [આગ્રહપૂર્વકના દઢ સંક૯૫] સાથે દેવને અપિત થતું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય કહેવાય છે. આવા દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org