________________
૨૩
પ્રભુજીના અંગે કેસર, આદિ સ્વરૂપે ચડાવી ન શકાય. પણ આભૂષણાદિરૂપે ચડાવી શકાય.
૩. કલ્પિત દેવદ્રવ્યૂ : ધનવાન શ્રાવકોએ અથવા રાજમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ, જિનભક્તિને નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કેઈ પણ (સર્વ) કાર્યેામાં ઉપયોગી બની શકે છે
વિશેષ વિચાર : શાસ્ત્રકારે એ ઉપર મુજબ દેવદ્રવ્યના ખાતામાં ત્રણ પેટાખાતાં જણાવ્યાં છે. ભારતભરના કોઈ પણ જૈનસંઘના વહીવટમાં આ રીતે દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડીને વહીવટ કરાતા નહિ હેાય એવા ખ્યાલ છે. આથી જ કેટલાક વિવાદે ઊભા થયા છે એમ લાગે છે. જેમ સાતક્ષેત્રની એક જ કોથળી ન રખાય તેમ દેવદ્રવ્યના ત્રણખાતાની એક જ કથળી રાખી ન શકાય. આમ કરવાથી જ બધી ગરડા ઊભી થાય છે.
જેમ ત્રણમાંથી કઇ પણ પ્રકારના દેવદ્રવ્યના ઉપયેગ જ્ઞાનખાતે સાધુ-વૈયાવચ્ચ ખાતે કે સીદાતા સાધાર્મિક ખાતે ન જ થઈ શકે (અર્થાત્ દેવદ્રવ્યના ઉપયોગ સાધારણસર્વે સાધારણ : પાઠશાળા આંબિલખાતુ વગેરે ખાતે ન જ થઇ શકે) તેમ દેવદ્રવ્યના જે ઉપયુક્ત ત્રણ પેટાવિભાગો છે, તેમાં પણ શાઅનીતિથી વિરુદ્ધ એકના બીજા ખાતે ઉપયાગ ન જ થઈ શકે. વિગન્ધિ નિર્માલ્ય દેવદ્રવ્યના ઉપયાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org