________________
૧૮૮
જૈન ઈતિહાસ શેઠ કેશવજી નાયક – વિક્રમ સંવત ૧૯૩૦ આ જૈનોમાં પ્રખ્યાત થયેલા શેઠ કેશવજી નાયક મૂળ કચ્છના રહેવાસી હતા, તથા લાખો રૂપિયાની માલિકી ધરાવતા હતા. જૈનધર્મ પર દઢ શ્રદ્ધાવાળા હતા. તેમણે પોતાના સ્વધર્મીઓને અનેક પ્રકારની મદદ આપી જૈનધર્મની સારી ઉન્નતિ કરેલી છે. લાખો રૂપિયા ખર્ચીને શત્રુંજય પર તેમણે ટુંક બંધાવી છે. તથા યાત્રાળુઓને ઊતરવા માટે તે તીર્થની તળેટીમાં વિશાળ ધર્મશાળા બંધાવી છે. બીજાં પણ ઘણાં લોકોપકારનાં કાર્યો કરીને તેમણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરેલી આપણે જોઈએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org